ખંભાળિયામાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો

  • July 22, 2024 11:09 AM 

ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યકરો દ્વારા ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ખંભાળિયા શહેર ભાજપ દ્વારા રવિવારે ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વ નિમિત્તે અહીંના અતી પ્રાચીન શ્રી ફુલેલીયા હનુમાનજી મંદિર ખાતે મહંત શ્રી ભરતદાસબાપુને સાલ ઓઢાડી, ફૂલહાર કરી, મીઠું મોં કરાવીને આશીર્વાદ લીધા હતા. જેમાં શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણજારીયા, નગરપાલિકાના મોહિતભાઈ મોટાણી, ભીખુભા જેઠવા, રાણાભાઈ ગઢવી, લાલજીભાઈ ભુવા, અશોકભાઈ કાનાણી, હસમુખભાઈ ધોળકિયા, મિલનભાઈ વારીયા, પ્રવિણસિંહ કંચવા ઘનશ્યામસિંહ વાઢેર, મનીષભાઈ નકુમ વિગેરે આગેવાનો - કાર્યકરોએ ઉપસ્થીત રહી, ગુરૂ વંદના કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application