સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, હવે ભૂલથી આવું કર્યું તો કપાઇ જશે પગાર અને રજા

  • February 20, 2025 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારી કર્મચારીઓની હાજરીને લઈ સામાન્ય વહીવટ વિભાગે મહત્વનો આદેશ કર્યો છે. ગુલ્લીબાજ કર્મીઓને લઈ આકરા પગલા લેવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું પડશે. સવારે 10 :40 વાગ્યા સુધી ઓફિસ કર્મચારીઓએ પહોંચવાનો રહેશે અને સાંજે 6:10 પહેલા ઓફિસ છોડી શકશે નહીં. સવારે સમય કરતા મોડા અને સાંજે વહેલા જતા કર્મચારીઓની રજા કપાશે. ગુલ્લીબાજ કર્મચારીઓના અડધા દિવસની રજા કાપવાનો સામાન્ય વહીવટ વિભાગે નિર્ણય કર્યો છે.


પરિપત્રમાં જણાવ્યું છે કે, 'દરેક અધિકારી/કર્મચારી માટે આવવાનો સમય સવારે 10:30 કલાકે તથા કચેરી છોડવાનો સમય સાંજે 6:10 કલાકનો છે. આમ છતાં અમદાવાદથી આવતી પોઇન્ટની બસો સચિવાલય સંકુલમાં પ્રવેશી શકતી ન હોવાથી તેમજ રસ્તામાં ટ્રાફિકજામ હોવાને કારણે સવારે કચેરીમાં આવવાના સમયમાં 10 મિનિટ છૂટછાટ આપીને આ સમય 10:40 સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. આથી વિભાગના તમામ અધિકારી/કર્મચારીઓને કચેરીમાં આવવા-જવામાં નિયમિતતા જાળવવા સૂચના આપવામાં આવે છે. વધુમાં, એક માસમાં ત્રણ વખત કચેરીમાં સવારે 10:40 કલાક પછી આવનાર અથવા સાંજે 6:10 પહેલા જનાર અધિકારી/કર્મચારીઓની અડધા દિવસની પરચૂરણ રજા કાપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application