સરકારી કર્મચારીઓની હાજરીને લઈ સામાન્ય વહીવટ વિભાગે મહત્વનો આદેશ કર્યો છે. ગુલ્લીબાજ કર્મીઓને લઈ આકરા પગલા લેવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું પડશે. સવારે 10 :40 વાગ્યા સુધી ઓફિસ કર્મચારીઓએ પહોંચવાનો રહેશે અને સાંજે 6:10 પહેલા ઓફિસ છોડી શકશે નહીં. સવારે સમય કરતા મોડા અને સાંજે વહેલા જતા કર્મચારીઓની રજા કપાશે. ગુલ્લીબાજ કર્મચારીઓના અડધા દિવસની રજા કાપવાનો સામાન્ય વહીવટ વિભાગે નિર્ણય કર્યો છે.
પરિપત્રમાં જણાવ્યું છે કે, 'દરેક અધિકારી/કર્મચારી માટે આવવાનો સમય સવારે 10:30 કલાકે તથા કચેરી છોડવાનો સમય સાંજે 6:10 કલાકનો છે. આમ છતાં અમદાવાદથી આવતી પોઇન્ટની બસો સચિવાલય સંકુલમાં પ્રવેશી શકતી ન હોવાથી તેમજ રસ્તામાં ટ્રાફિકજામ હોવાને કારણે સવારે કચેરીમાં આવવાના સમયમાં 10 મિનિટ છૂટછાટ આપીને આ સમય 10:40 સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. આથી વિભાગના તમામ અધિકારી/કર્મચારીઓને કચેરીમાં આવવા-જવામાં નિયમિતતા જાળવવા સૂચના આપવામાં આવે છે. વધુમાં, એક માસમાં ત્રણ વખત કચેરીમાં સવારે 10:40 કલાક પછી આવનાર અથવા સાંજે 6:10 પહેલા જનાર અધિકારી/કર્મચારીઓની અડધા દિવસની પરચૂરણ રજા કાપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરત દુષ્કર્મ કેસમાં હાઇકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને 3 મહિનાના હંગામી જામીન આપ્યા
March 28, 2025 06:42 PMગુજરાત વિધાનસભામાં ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક પસાર, લાખો નાગરિકોને હવે આ લાભ મળશે
March 28, 2025 06:41 PMબ્લોકને કારણે 31 મેની પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
March 28, 2025 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech