ગુજરાત સરકારે ૧૧૬૦ કરોડના આપદા ભંડોળનું રોકાણ ન કરતા વ્યાજ ગુમાવ્યું

  • August 24, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકાર આપત્તિ વ્યવસ્થાપન ને પહોંચી વળવા માટે થઈને કેન્દ્રને રાય સરકારના હિસ્સાથી ખાસ આપત્તિ ભંડોળ ઊભું કરવાનું હોય છે રાય સરકાર તે ભંડોળમાંથી કુદરતી આપત્તિના સમયે નાણાં વાપરી શકે છે બાકીના સમયે આ રકમ વર્ષના અંતે રિઝર્વ બેન્ક મારફતે કેન્દ્ર સરકારની વિવિધ જામીનગીરીઓ અનુસૂચિત વાણિય બેંકોમાં થાપણો આ રોકાણ કરવાની થાય છે. ભારત સરકારે નક્કી કરેલી માર્ગદર્શિકા મુજબ ગુજરાત સરકારે એક પણ પ્રકારની રોકાણ વ્યવસ્થા નહીં કરતા મળવા પાત્ર વ્યાજનું નુકસાન વેઠવું પડું છે. તેમ કેગના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે.જેમા આપદા ભંડોળના ૧૧૬૦ કરોડનું કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે રોકાણ ન થતા વ્યાજ ગુમાવ્યા. કેગ...

ભારતના કોસ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં કહેવાયું છે કે, ૧ એપ્રિલ–૨૦૨૨ની સ્થિતિએ ગુજરાત સરકાર પાસે રાય આપદા પ્રતિભાવ ભંડોળમાં પિયા ૩૮૧,૯૫ કરોડની ખુલતી સિલક હતી ત્યારબાદ વર્ષ ૨૦૨૨–૨૩માં રાય સરકારે પોતાના હિસ્સા પેટે ૪૨૬.૯૯ કરોડ અને કેન્દ્ર સરકારના હિસ્સા પેટે મળેલી ૫૫૬ કરોડની રકમ મળીને કુલ ૯૮૨.૯૯ કરોડની રકમ આ ભંડોળમાં જમા કરી હતી પરિણામ સ્વપ રાય આપદા પ્રતિભાલ ભંડોળમાં કુલ પિયા ૧૩૬૪.૯૪ કરોડ જમા થયેલા હતા.

સરકાર પાસે આ પિયા ૧૧૫૯.૬૧ કરોડની સિલક બાકી રહેતી હતી. એ પછી ગુજરાત સરકારે પોતાના બજેટમાંથી પણ આપત્તિને પહોંચી વળવા માટે . ૩૨.૨૪ કરોડનો ખર્ચ કર્યેા હતો. આમ, આપદા ભંડોળમાં ૨૦૫.૩૩ કરોડ અને બજેટમાંથી ૩૨.૨૪ કરોડ મળીને કુલ ૨૩૭.૫૭ કરોડનો ખર્ચ કર્યેા હતો. રાય સરકારનું પોતાનું પણ રાય આપદા શમન ભંડોળ હોય છે. જેની રચના ગુજરાત સરકારે ફેબ્રુઆરી–૨૦૨૩માં રાય આપદા પ્રતિભાવ ભંડોળના ૧૧૬૦ કરોડનું ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે રોકાણ ન એટલે વ્યાજ પણ ન મળ્યું.


 વર્ષ ૨૦૨૨–૨૩ દરમ્યાન રાય સરકારે રાયના પોતાના ભંડોળમાં કેન્દ્રના ફાળા પેટે . ૪૦૩,૮૦ કરોડ અને રાય સરકારના પોતાના ફાળા પેટે . ૧૩૪.૫૦ કરોડ મળીને કુલ ૫૩૮.૩૦ કરોડ જમા કર્યા હતા. હવે, ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે ગુજરાત સરકારે રાય આપદા પ્રતિભાવ ભંડોળ અને રાય આપદા શમન ભંડોળમાંથી કુદરતી આપત્તિમાં ખર્ચ કર્યા બાદ બાકી રહેતી જમા રકમ રિઝર્વ બેંચ મારફત કેન્દ્ર સરકાર હસ્તકની થાપણોમાં રોકાણ કરવાની થતી હતી. જેના ઉપર ગુજરાત સરકારને નિયત દર વ્યાજ મળવાપાત્ર થતું હતું પરંતુ ગમે તે કારણોસર ગુજરાત સરકારે આ સિલકની રકમ જમા કરાવી નથી. તેથી સરકારને મળવાપાત્ર વ્યાજનું નુકસાન વેઠવુ પડયુ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application