ગુજરાતના વીજ ગ્રાહકોએ ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવા પડશે: વિધાનસભામાં ચર્ચા

  • February 21, 2025 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીજ ગ્રાહકો માટે સ્માર્ટ મીટર મુદ્દે વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વીજ ગ્રાહકો માટે પ્રિ–પેઇડ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવામાં આવશે તેવી ચર્ચા થઈ છે. વિધાનસભા ગૃહમાં કિરીટ પટેલના પ્રશ્નમાં સરકારે જવાબ રજૂ કર્યેા હતો. ઉર્જા વિભાગનું કહેવું છે કે, હાલના મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે તો તમામ વિગતો મોબાઈલ પર ગ્રાહકો મેળવી શકશે. તેમજ વિધાનસભા ગૃહમાં સ્માર્ટ મીટરના ફાયદાની વિગતો જાહેર કરવામાં આવી છે.
ઊર્જા વિભાગના જણાવ્યાનુસાર, હાલના મેન્યુઅલ રીડિંગ પર આધાર રાખવાને બદલે સ્માર્ટ મીટર જાતે વીજ વપરાશનો ડેટા એકત્રિત કરે છે અને તેને વીજ વિતરણ કંપનીઓને ટ્રાન્સમિટ કરે છે. સ્માર્ટ મીટરમાં જે તે વીજ ગ્રાહકના વીજ વપરાશ અંગેના ડેટા તેમજ અન્ય માહિતી સ્માર્ટ મીટરની અપ્લિકેશન દ્રારા મોબાઇલ પર જ નિયમિત અને તાત્કાલિક ધોરણે વીજ ગ્રાહકને મળી રહે છે.
સ્માર્ટ મીટર ગ્રાહકલક્ષી મૈત્રીપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. જેમાં એડવાન્સ મીટરિંગ સિસ્ટમ હોવાથી તે ગ્રાહકના સ્માર્ટ મીટર એપ્લિકેશન તેમજ ડિસ્ટિ્રબ્યુશન કંપની બંને સાથે કોમ્યુનિકેટ કરે છે. સ્માર્ટ મીટરથી વીજ કંપની દરેક વિસ્તારની વીજ માંગ સમજી તેનું સરળતાપૂર્વક આયોજન કરી શકે છે.
પ્રધાનમંત્રીના વન નેશન, વન ગ્રીડના કોન્સેપ્ટથી સમગ્ર દેશાને સરખો વીજ પુરવઠો પહોચાડવાનું કાર્ય કરી રહ્યા છે. તેમની દીર્ઘદ્રષ્ટ્રિથી જ એશિયામાં સૌ પ્રથમ ગુજરાતમાં કલાઈમેટ ચેન્જ વિભાગની રચના કરવામાં આવી હતી. સમગ્ર ભારત ભવિષ્યમાં ૫૦% ઊર્જા રિન્યુએબલ હશે.કાર્યક્રમમાં અમાર્ટ મીટર અંગેનો ડેમો બતાવવામાં આવ્યો હતો તેમજ સ્માર્ટ મીટર શું છે, સ્માર્ટ મીટર કેવી રીતે કાર્ય કરે છે, સ્માર્ટ મીટરના ફાયદાઓ, સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા, ગ્રાહક સુવિધા કેન્દ્ર, સ્માર્ટ મીટર અંગેની ખોટી ધારણાઓ અને મોબાઈલ એપ્લિકેશનમાં સ્માર્ટ મીટર વપરાશની સચોટ માહિતી પ્રદાન કરવામાં આવી હતી.
સ્માર્ટ મીટર એ હયાત વીજ મીટરની જેમ જ વીજ વપરાશ નોધાવાનું કાર્ય કરે છે. સ્માર્ટ મીટર વીજ વપરાશની સચોટ માહિતી વધુ સ્પષ્ટ્રતા સાથે પ્રદાન કરે છે. ઉપરાંત ઈ ટુ–વે કોમ્યુનિકેશનની વિશેષતા પણ ધરાવે છે. કાર્યક્રમમાં વીઆઈએ પ્રમુખ સતિષ પટેલ, ડીજીવીસીએલ મેનેજિંગ ડાયરેકટર યોગેશે ચૌધરી, જેટકોના મેનેજીગં ડાયરેકટર ઉપેંદ્ર પાંડે, ડીજીવીસીએલના આધિકારી–કર્માચારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઊપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application