ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ 80 ટકા ભરાયો, ડેમની જળ સપાટી 132.60 મીટરે પહોંચી

  • August 10, 2024 10:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટી ખૂબ ઝડપથી વધી રહી છે. હાલ જળાશયની સપાટી 132.60 મીટર પહોંચી ગઈ છે, જળાશયનો કુલ સંગ્રહ 80 ટકા જે ચેતવણી સ્તર છે ત્યાં સુધી પહોંચી ગયો છે. 


મહત્વનું છે કે સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા સવારે 9:15 કલાકે ડેમમાંથી 42,943 ક્યુસેક પાણીનો જથ્થો રિવર બેડ પાવર હાઉસ દ્વારા નદીમાં છોડવામાં આવી રહ્યો છે.


દક્ષિણ ગુજરાતમાં અવિરત પડેલા વરસાદે જિલ્લાના અનેક જળાશયોને છલોછલ કરી દીધા છે, ત્યારે રાજ્યની જીવાદોરી ગણતા સરદાર સરોવર ડેમમાં પણ વ્યાપક પ્રમાણમાં નવાનીરની આવક થઈ છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે પણ સરદાર સરોવર ડેમની જળસપાટી વધવા લાગી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application