ગુજરાત ચેમ્બર દ્વારા ધર્મ અને ઉદ્યોગ વિષયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવતા ધર્મગુરુઓએ માર્ગદર્શન પૂરુ પાડયુ હતું.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અમદાવાદ ખાતે પં..પુ. દ્વારકા પીઠ જગતગુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી તેમજ અમદાવાદ શિવાનંદ આશ્રમના અધ્યક્ષ હિંદુ ધર્મ આચાર્ય સભા સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી ઉપસ્થિતિમાં ધર્મ અને ઉદ્યોગ વિષય ઉપર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ આયોજન ના પ્રસંગમાં સ્વાગત પ્રવચન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ સંદીપભાઈ એન્જીનીયરે કરેલ તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના સેક્રેટરી જીજ્ઞેશભાઈ કારિયા એ તેમને આવકારી હાર -તોરા કરી તેમને સન્માનિત કરેલ ત્યારે આ તકે દ્વારકા પીઠ જગતગુ શંકારાચાર્ય પં..પૂ. સદાનંદ સરસ્વતીજી એ જણાવ્યું કે આખું વિશ્ર્વ સમૃધ્ધ અને ભૌતીક સુખાકારી તરફ ખુબ જ આગળ વધી રહ્યું છે ત્યારે આધ્યાત્મિક મુલ્યો ક્ષીણ પણ થઈ રહ્યા છે તેમજ ધર્મ અને ઉદ્યોગ વિષય પર વ્યાખ્યાન કરેલ હતું ત્યારે આ પ્રસંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અમદાવાદ ના તમામ ઓફીસ બેરર્સ અને સભ્યો અમદાવાદ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ માં હાજર રહ્યા હતા ત્યારે આ બાબતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (અમદાવાદ) સેક્રેટરી જીજ્ઞેશભાઈ કારિયા એ જણાવેલ કે આવતા દિવસોમાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ધર્મ અને ઉદ્યોગ ઉપર આ બાબતનું વ્યાખ્યાનનું આયોજન પં..પુ. દ્વારકા પીઠ જગતગુ શંકારાચાર્ય સદાનંદ સરસ્વતીજી તેમજ અમદાવાદ શિવાનંદ આશ્રમના અધ્યક્ષ હિંદુ ધર્મ આચાર્ય સભા સ્વામી પરમાત્મા નંદ સરસ્વતીજીની સહમતી લઈ એમના દ્વારા કરવામાં આવશે અને આનો લાભ તમામ વેપારીઓ તથા શહેરીજનો લઈ શકશે. તેમ જિજ્ઞેશ કારીયાએ જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech