ઉત્તરાખંડમાં 10 મેથી ચારધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે. પ્રવાસને સરળ, સલામત અને સુવ્યવસ્થિત બનાવવા માટે સરકારે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. યાત્રાળુઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 50 વર્ષથી વધુ ઉંમરના મુસાફરો માટે હેલ્થ ચેકઅપ ફરજિયાત કરવામાં આવ્યું છે. નોંધણી દરમિયાન પણ, ભક્તોને તેમના સ્વાસ્થ્ય સંબંધિત વિગતો આપવા માટે કહેવામાં આવ્યું છે, જેથી જરૂર પડે તો યોગ્ય સારવાર આપી શકાય.
આરોગ્ય વિભાગે આ વર્ષે ચારધામ યાત્રા પર આવનારા 50 વર્ષથી વધુ ઉંમરના તમામ શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય તપાસ ફરજિયાત કરી છે. જો કે કોઈને પણ મુસાફરી કરતા અટકાવવામાં આવશે નહીં, પરંતુ તેમને પહેલા આરામ કરવાની અથવા યોગ્ય સારવાર લેવાની સલાહ આપવામાં આવશે. ટ્રાવેલ રૂટ પર 50 સ્ક્રીનીંગ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.
ચારધામ યાત્રાના રૂટ પર નિષ્ણાત તબીબોને તૈનાત કરવામાં આવી રહ્યા છે. ચારધામ યાત્રાના રૂટ પર આવેલી હોસ્પિટલોમાં યાત્રા દરમિયાન રોટેશન પર કુલ 180 ડોક્ટરો તૈનાત કરવામાં આવશે. ઉપરાંત ખાનગી ક્ષેત્રના તબીબોનો પણ સહકાર લેવામાં આવી રહ્યો છે.રાજ્યમાં ચારધામ યાત્રાના રજિસ્ટ્રેશનને લઈને જે પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે આ વર્ષે યાત્રા નવા દાખલા બેસાડશે. ગત વર્ષે ચારધામની યાત્રા માટે રેકોર્ડ 56 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. રાજ્યના ચારધામો ઉચ્ચ હિમાલયના પ્રદેશોમાં હોવાથી, મુસાફરીના માર્ગો પર સરળ આરોગ્ય સેવાઓ જાળવી રાખવી એ એક પડકારથી ઓછું નથી.
યાત્રાના રૂટ પર નિષ્ણાત તબીબોની તૈનાતીનો મુદ્દો હોય કે પયર્પ્તિ સંખ્યામાં પેરામેડિકલ સ્ટાફની તૈનાતનો મુદ્દો હોય, આ હંમેશા વિભાગ માટે મોટો પડકાર ઊભો કરે છે. જો કે આ વખતે વિભાગનો દાવો છે કે યાત્રાના રૂટ પર પહેલા કરતા વધુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે.ઉત્તરાખંડ ઉપરાંત અન્ય રાજ્યોના ડોકટરો પણ ચારધામ યાત્રા દરમિયાન પોતાની સેવાઓ આપવા તૈયાર છે. આને ધ્યાનમાં રાખીને, આરોગ્ય વિભાગે તમામ રાજ્યોને અપીલ કરી છે કે તેઓ તેમના રાજ્યોના તમામ ડોકટરોની યાદી પ્રદાન કરે જેઓ યાત્રાના રૂટ પર તેમની સેવાઓ પ્રદાન કરવા માંગે છે.
આ વર્ષે રાજ્યમાં આરોગ્ય રાહત કેન્દ્રોની સ્થિતિ પહેલા કરતા સારી રહી છે. અહીં જરૂરિયાત મુજબ આરોગ્યમિત્રો તૈનાત કરવામાં આવશે, જેઓ બીમાર ભક્તોની સારવારમાં શક્ય તમામ મદદ કરશે. આરોગ્ય રાહત કેન્દ્રોમાં દવાઓ, ઓક્સિજન સિલિન્ડર અને અન્ય તમામ જરૂરી સાધનોનો સ્ટોક રાખવામાં આવશે.
કેદારનાથ ધામ યાત્રા રૂટ પર વિશેષ ધ્યાન
આ વર્ષે આરોગ્ય વિભાગે કેદારનાથ યાત્રાના રૂટ પર વિશેષ ધ્યાન આપ્યું છે. 10 આરોગ્ય રાહત પોસ્ટની સાથે, અહીં બે પીએચસી કેન્દ્રો પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. કેદારનાથ યાત્રાના રૂટ પર યાત્રિકોને હેલ્થ એટીએમની સુવિધા પણ મળશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુપ્તકાશી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફાટા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગૌરીકુંડ અને માધવ ચિકિત્સાલય, નારાયણકોટી ખાતે આરોગ્ય એટીએમની વ્યવસ્થા કરવામાં આવી છે.
50 જગ્યાએ હેલ્થ એટીએમ બનશે
મુસાફરીના માર્ગો પર 50 જગ્યાએ હેલ્થ એટીએમ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 50 વર્ષથી વધુ ઉંમરના મુસાફરો માટે હેલ્થ ચેકઅપ ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કે ચારધામ યાત્રાના રૂટ પર હાર્ટ એટેકના કારણે મૃત્યુઆંક ઘટાડવો મોટો પડકાર બની રહેશે. ગયા વર્ષે યાત્રા દરમિયાન 247 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. યાત્રા માટે આવતા યાત્રિકોની સુવિધા માટે આરોગ્ય વિભાગે યાત્રા રૂટ પર 50 સ્ક્રીનીંગ સેન્ટર ઉભા કર્યા છે. આ સ્ક્રીનીંગ સેન્ટરો રજીસ્ટ્રેશન સેન્ટરો સાથે રાખવામાં આવ્યા છે. જેમાં હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ સહિત 28 પેરામીટર પર ભક્તોની તપાસ કરવામાં આવશે."
માર્ગદર્શિકાની મહત્વની બાબતો
- સ્થાનિક ડોક્ટર પાસે તપાસ કરાવ્યા બાદ યાત્રાનું આયોજન કરો
- 50 વર્ષથી વધુ વયના યાત્રાળુઓ ફરજીયાત હેલ્થ ચેકઅપ કરાવે
- ઓછામાં ઓછા સાત દિવસ સુધી ચારધામ યાત્રાનું આયોજન કરવાની સલાહ
- પગપાળા કેદારનાથ અને યમુનોત્રી ધામ ચઢતી વખતે, દર એકથી બે કલાક પછી 5 થી 10 મિનિટ આરામ કરો
- મુસાફરી માટે ગરમ કપડાં, વરસાદથી રક્ષણ માટે રેઈનકોટ, છત્રી, પલ્સ ઓક્સિમીટર અને આરોગ્ય તપાસ માટે થર્મોમીટર સાથે રાખો
- હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, અસ્થમા, ડાયાબિટીસથી પીડાતા મુસાફરોએ જરૂરી દવાઓ અને ડોક્ટરનો નંબર સાથે રાખો
- મુસાફરી દરમિયાન છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કરનો અનુભવ થાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech