સૌરાષ્ટ્ર્ર સહિત ગુજરાતમાં મગફળીનું ૪૫ લાખ ટન જેટલું વિપુલ ઉત્પાદન થયું છે. ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે દિવાળી પછી મગફળીની ટેકાના ભાવે ખરીદી રાય સરકાર દ્રારા કરવામાં આવી છે અને યારે ખરીદી શ કરવાનો નિર્ણય લેવાયો ત્યારે સરકારે ૧૩ લાખ મેટિ્રક ટન મગફળીની ખરીદી કરાશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ છેલ્લા બે મહિનામાં અત્યાર સુધીમાં માત્ર ૨.૭૦ લાખ મેટિ્રક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે, જે માત્ર ૨૦ ટકા કામગીરી દર્શાવે છે.
ગોડાઉનમાં કામ કરવા માટે મજૂરો મળતા નથી, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી, બારદાન પૂરતા પ્રમાણમાં નથી અને ગોડાઉનની વ્યવસ્થા કરવાની છે. તેવા જુદા જુદા કારણોસર છેલ્લા બે મહિનામાં ૨૦ થી ૨૫ દિવસ અનેક ખરીદી કેન્દ્રમાં ટેકાના ભાવે પરચેસ બધં કરી દેવામાં આવી છે. ખેડૂતો જણાવે છે કે જો આ મુજબ જ ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરી ચાલુ રહેશે તો આ કામગીરી પૂરી થવામાં એકાદ વર્ષ જેટલો સમય લાગે તેવી શકયતા છે. સરકારે મગફળી ખરીદી માટે ૧૬૦ કેન્દ્ર જાહેર કર્યા છે. દરરોજ એકસો ખેડૂતોની મગફળી ખરીદવામાં આવે તો રજીસ્ટ્રેશન થયેલા ૩,૭૨,૦૦૦ ખેડૂતોની મગફળી ખરીદ કરવા માટે ૨૫ દિવસમાં આ કામગીરી પૂરી થઈ શકે તેમ છે. પરંતુ અત્યારે ગોકળગાયની ગતિએ આ કામગીરી ચાલે છે અને તેમાં પણ મોટાભાગના દિવસોમાં એક યા બીજા કારણોસર ખરીદી બધં રાખવામાં આવતી હોય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech