ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા તડામાર તૈયારીઓ
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ જામ ખંભાળિયા દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવ ઉજવવાની ખુબજ ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે.
સૃષ્ટિના સર્જનહાર અને દેવો ના શિલ્પાચાર્ય આદિનારાયણ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદા નો પ્રાગટ્ય દિવસ એટલે વિશ્વકર્મા જયંતી તારીખ, ૨૨/૨/૨૦૨૪ ને ગુરૂવારે છે, આ શુભ દિવસે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ જામ ખંભાળિયા દ્વારા અનેકવિધ કાર્યક્રમો નું ખુબજ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.
વહેલી સવારે વિશ્વકર્મા દાદા ની મંગળા આરતી, પાટોત્સવ હવન, નુતન ધ્વજારોહણ, દાતાશ્રીઓ નું સન્માન, સમુહ ભોજન, વિધ્યાર્થી સન્માન સમારોહ, સંધ્યા મહા આરતી, સંધ્યા સમુહ ભોજન અને રાત્રે સાંસ્ક્રુતિક કાર્યક્રમ, વગેરેના સુંદર આયોજન ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ મહોત્સવ માં ગુર્જર સુતાર જ્ઞાતિના અનેક શ્રેષ્ઠીઓ ગણમાન્ય મહેમાનો તેમજ ગામ અને બહાર ગામના જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવ ના સંપૂર્ણ કાર્યક્રમો ના દાતાશ્રી મુળ હંસ્થલ અને હાલ જામનગર ના રતીલાલ રાઘવજીભાઈ ભારદિયા પરિવાર છે તેમ મંત્રી જયંતીભાઈ સુરેલીયાની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુર્શિદાબાદ હિંસા: ઇન્ટરનેટ સેવા બંધ, 150 થી વધુ લોકોની ધરપકડ
April 13, 2025 12:17 PMભારત ક્યારેય આતંકવાદી રાણાને ત્રાસ આપશે નહીં... યુએસ સેક્રેટરીના ઈમેલમાં ખુલાસો
April 13, 2025 12:08 PMસમંથા પ્રભુએ 15 બ્રાન્ડ્સને કર્યો ઇનકાર, થશે કરોડોનું નુકસાન
April 13, 2025 11:54 AMભડકે બળી રહ્યુ છે બંગાળ, આજે મુર્શિદાબાદના ધુલિયાનમાં ફરી ગોળીબાર, 2 બાળકો ઘાયલ
April 13, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech