ખંભાળિયાના જલારામ મંદિરે હરિયાળી અમાસની ભવ્ય ઉજવણી કરાઈ

  • August 05, 2024 11:27 AM 

અન્નકૂટ, દીપમાળા તથા નૂતન ધ્વજારોહણનો લાભ લેતા ભક્તો


ખંભાળિયામાં ગઈકાલે રવિવારે પવિત્ર હરીયાળી અમાસ (દિવાસા) નિમિત્તે અહીંના જલારામ મંદિર ખાતે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઈના જાણીતા સેવાભાવી જયાબેન કુમનદાસ અમલાણી ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે જલારામ મંદિર ખાતે સવારે 10 વાગ્યાથી 7 વાગ્યા સુધી વિવિધ પ્રકારની વાનગીઓ સાથેના અન્નકૂટના દર્શન યોજવામાં આવ્યા હતા.


આ ઉપરાંત સાંજે દીપમાળા તેમજ નૂતન ધ્વજારોહણ સહિતના વિવિધ ધર્મમય કાર્યક્રમોનો લાભ મોટી સંખ્યામાં ભક્તજનોએ લીધો હતો. આ સમગ્ર આયોજન માટે જયાબેન કુમનદાસ અમલાણી ચેરીટેબલ ટ્રસ્ટ વતી સપનાબેન મુકેશભાઈ કાનાણી તેમજ અન્ય મહિલા કાર્યકરો સાથે જલારામ મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારી દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application