આર્યસમાજ જામનગર દ્વારા ભવ્ય શોભાયાત્રા

  • January 03, 2024 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આર્યસમાજ જામનગરનાં ૯૬માં વાર્ષિકોત્સવ અને શ્રીમદ દયાનંદ ક્ધયા વિદ્યાલયના ૭૬માં વાર્ષિકોત્સવ પ્રસંગે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન આર્યસમાજ જામનગર દ્વારા કરવામાં આવેલ.
આ પ્રસંગે આર્યવન આર્ય ક્ધયા ગુરુકુળના આચાર્યાશ્રી શીતલજી, ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઇ ઠક્કર, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગરના માનદ મંત્રી નરેન્દ્રભાઇ મહેતા, શ્રીમદ દયાનંદક્ધયાવિદ્યાલયના માઘ્યમિક વિભાગ તથા ઉચ્ચતર માઘ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રુપડીયા, આર્યસમાજ જામનગરના કોષાઘ્યક્ષ વિનોદભાઇ નાંઢા, આર્યસમાજ રાજકોટના પ્રમુખ રણજીતસિંહજી પરમાર, આર્યમસાજ રાજકોટના માનદમંત્રી વિજયભાઇ બોરીયા આર્યસમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઇ આર્ય, આર્યસમાજ જુનાગઢના પ્રમુખ શાંતિભાઇ વાઘેલા, આર્યસમાજ નડિયાદનામેનેજીંગ ટ્રસ્ટી દિનેશચંદ્ર આર્ય, અને પોરબંદર, જુનાગઢ, રાજકોટ વઢવાણ, મોરબી, ગોંડલ, ધ્રાંગધ્રા, વિશાવદર આર્યસમાજોના પ્રમુખ મંત્રી અને કાર્યકરો જોડાયેલા હતા.
આ પ્રસંગે સમગ્ર ગુજરાતભરમાંથી પધારેલ ૯૩૫ આર્ય સજજનો, સન્નારીઓ, સામેલ થયા હતા. તદઉપરાંત ૧૦૦ આર્ય વીરાંગનાઓ સામેલ થઇ હતી.
આ ભવ્ય શોભાયાત્રામાં યજ્ઞ દર્શાવતો ફલોટ રાખવામાં આવ્યોહતો. આ પ્રસંગે આર્યસમાજ જામનગરના સદસ્યો ધીરજલાલ નાંઢા, સુનીતાબેન ખન્ના, જગદીશભાઇ મકવાણા, હરીશભાઇ મહેતા, અર્ચનભાઇ ભટ્ટ, ધવલભાઇ બરછા, વિશ્ર્વાસભાઇ ઠક્કર, પ્રભુલાલ જે. મહેતા, આશાબેન ઠક્કર, પ્રભુલાલ ડી. મહેતા, મનોજભાઇ નાંઢા, વિવેકભાઇ રામાણી, હિતેશભાઇ રામાણી, ભરતભાઇ આશાવર, કરણભાઇ રામાણી, ભાર્ગવભાઇ મકવાણા અને શ્રીમદ દયાનંદ ક્ધયાવિદ્યાલય પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસ, બંને વિભાગના શિક્ષિકા બહેનોનો સ્ટાફ, સેવકભાઇ બહેનો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application