સ્કૂલ વર્ધીમાં વપરાતા વાહનોની ક્ષમતા કરતા બમણા વિધાર્થીઓ બેસાડવા મર્યાદા નકકી કરતી સરકાર

  • June 10, 2024 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી તારીખ ૧૩ જૂનથી રાયમાં નવા શૈક્ષણિક સત્તાનો પ્રારભં થઈ રહ્યો છે ત્યારે શાળાએ આવતા બાળકોને લાવવા અને લઈ જવા માટે સ્કૂલવાન બસ કે ઓટો રીક્ષા નો ઉપયોગ કરવામાં આવે છે આ વાહનોની અંદર વિધાર્થીઓ બેસાડવાની સંખ્યા માટે નિયમો નિયત કરવામાં આવ્યા છે. શાળા ટ્રાન્સપોર્ટેશનમાં ઉપયોગમાં લેવાતા વાહનો માટે કેટલીક બાબતો નિર્ધારિત કરવામાં આવી છે જેમાં વાહનની બેઠક ક્ષમતા કરતા બમણા વિધાર્થીઓ બેસાડવા માટે વિધાર્થીઓની ઉંમર ૧૨ વર્ષ નક્કી કરવામાં આવી છે.આ ઉપરાંત આગની ઘટના બને નહીં તે માટે અિશામક સાધનો રાખવા ફરજીયાત કરાયા છે.

સ્કૂલ બસમાં ફાયર એલાર્મ પ્રોટેકશન સિસ્ટમ હોવી જરી છે વાહનનીની ગતિ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે વાહનમાં ફિટનેસ સીએનજી કે એલપીજી કીટને અલ્ટરનેશનની પ્રક્રિયા બાદ ફીટ કરવામાં આવી છે કે નહીં તેની ચકાસણી કરાવવાની રહેશે શાળાના સંચાલકોએ સ્કૂલ વાનની ચકાસણી અવારનવાર કરવી ફરજીયાત છે.
રાય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્રારા સ્ફુલવાન, રિક્ષા કે બસમાં બાળકોને શાળા લઇ જતી વખતે કેવા કેવા પ્રકારની સલામતીની તકેદારી રાખવી તેની જાણકારી શાળાના આચાર્યેાને આપવા માટે તમામ જિલ્લ ા શિક્ષણાધિકારી અને જિલ્લ ા પ્રાથમિક શિક્ષણાધિકારીને આદેશ કરવામાં આવ્યો છે. તેમાં સ્કુલવર્ધીમાં વપરાતી ઓટોરીક્ષા કે વાનમાં બેઠકની ક્ષમતા કરતા બમણા વિધાર્થીઓ બેસડવા માટે ૧૨ વર્ષની વય મર્યાદા નક્કી કરી છે,

તાજેતરમાં રાજકોટમાં ગેમ જોનમાં બનેલી આગજની ઘટના સ્કુલવાન, સ્કુલબસ તેમજ ઓટોરીક્ષામાં કેવા કેવા પ્રકારની તકેદારી રાખવી જોઇએ તેની જાણકારી શાળાના સંચાલકો અને વાલીઓને આપવા માટે જિલ્લ ા શિક્ષણાધિકારી અને જિલ્લ ા પ્રાથમિક શિક્ષણાધિકારીને આદેશ કર્યેા છે. ત્યારે સ્કુલવાન કે ઓટોરીક્ષામાં નિયત કરેલી બેઠક ક્ષમતા કરતા બમણી સંખ્યામાં વિધાર્થીઓ બેસાડવાની જોગવાઇ કરવામા આવી છે.આ માટે ૧૨ વર્ષના બાળકો માટે જ લાગુ પડે છે. જો બાળકોની ઉંમર ૧૨ વર્ષથી વધારે હોય તો નિયત કરેલી બેઠક જેટલા જ બાળકોને બેસાડી શકાય છે. તેનાથી વધારે બાળકો બેસાડવામાં આવે તો નિયત કરેલા નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે.  આથી સ્કુલવાન, ઓટોરીક્ષા કે સ્કુલબસમાં નિયત કરેલા નિયમોનું પાલન થાય છે કે નહી તેની ચકાસણી કરવાની રાયના ટ્રાન્સપોર્ટેશન વિભાગ દ્રારા સુચના જિલ્લ ા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીને આપવામાં આવી છે


ફાયરની ઘટના બને નહીં તે માટે અિશામક સાધનો હોવા જોઇએ
સ્કૂલબસોમાં ફાયર એલાર્મ અને પ્રોટેકશન સિસ્ટમ હોવી જોઇએ. વાનની ગતિ મર્યાદા નક્કી કર્યા મુજબ ચલાવવામાં આવે છે કે નહી તેની ચકાસણી કરવી. વાહનમાં ફિટ સીએનજી કે એલપીજી કીટને અલ્ટરેશનની પ્રક્રિયા બાદ ફીટ કરવામાં આવી છે કે નહી તેની ચકાસણી કરવાની રહેશે. શાળાના સંચાલકોએ સ્કુલવાનની ચકાસણી કરવાની રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application