સાયબર ફ્રોડ રોકવા દરેક પોલીસ સ્ટેશનમાં એક આઇટી એકસપર્ટ સરકાર નિમશે

  • January 27, 2025 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાઇબર ફ્રોડના વધતા જતા બનાવને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસમાં સાયબર ક્રાઇમ સેલ અલગથી કામગીરી કરી રહી છે અને આ કામગીરી વધુ અસરકારક બનાવવા માટે દરેક પોલીસ સ્ટેશનમાં એક આઈટી એકસપર્ટ ની નિમણૂક કરવાનો નિર્ણય ગુજરાત સરકારે લીધો હોવાની જાહેરાત કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે રાજકોટ જિલ્લા કક્ષાના કોટડા સાંગાણી ખાતે યોજાયેલા ધ્વજવંદનના કાર્યક્રમમાં કરી હતી.
કોટડા સાંગાણીની ઠાકોર શ્રી મુળવાજી વિનયન કોલેજ ખાતે યોજાયેલા ધ્વજવંદનના કાર્યક્રમમાં રાઘવજીભાઈ પટેલે તિરંગો લહેરાવી તેને સલામી આપ્યા બાદ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત સાયબર ક્રાઇમ સેલ દ્રારા સાઇબર ફ્રોડ કાર્યવાહી અનુસંધાને છેતરપિંડી થયેલા નાણા પૈકી ૨૮૫ કરોડથી વધુની રકમ ફ્રિજ કરવામાં આવી છે અને તેમાંથી પિયા ૧૦૮ કરોડ થી વધુ રકમ રિફડં કરવામાં આવી છે. સાયબર ફ્રોડ રોકવા માટે ગુજરાત સરકાર દ્રારા થઈ રહેલી કામગીરીની પ્રશંસાના ભાગપે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ જાહેર કરવામાં આવી છે અને આ મામલે ગુજરાત પોલીસને એવોર્ડ થી સન્માનિત પણ કરવામાં આવેલ છે.
રાઘવજીભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત ઇકો ફ્રેન્ડલી સ્ટેટ છે અને એક પેડ મા કે નામ અંતર્ગત ગુજરાતમાં ૧૩ કરોડ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે.
ધ્વજવંદન બાદ બેન્ડની સુરાવલી સાથે રાષ્ટ્ર્રગાન વગાડવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર પ્રભવ જોશી, પ્રોબેશનરી આઇપીએસ નવીન ચક્રવર્તી એસપી હિમકરસિહ સાથે પરેડનું નિરીક્ષણ કયુ હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં જુદા જુદા વિભાગો દ્રારા ૧૨ ટેબલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.સાયબર ફ્રોડ રોકવા દરેક પોલીસ સ્ટેશનમાં એક આઇટી એકસપર્ટ સરકાર નિમશે
રાજકોટ જિલ્લા કક્ષાના કોટડા સાંગાણી ખાતેના ધ્વજ વંદન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની જાહેરાત



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application