મોટા ભાગના લોકો કોઈ પણ પ્રોડક્ટ તેનું પ્રમોશન જોઈને જ ખરીદે છે. આવા ઘણા કિસ્સાઓ છે જેમાં માલ ખામીયુક્ત હોવાનું બહાર આવ્યું હોય છે અને ગ્રાહકે ફરિયાદ કરવા માટે કંપ્નીઓના ચક્કર લગાવવા પડે છે. હવે આવું નહીં થાય. જો કોઈ કંપ્નીની પ્રોડક્ટ ખામીયુક્ત હોય અથવા કંપ્ની તેને રિપેર કરવામાં કે રિપ્લેસ કરવામાં આનાકાની કરે તો કંપ્ની મુશ્કેલીમાં મુકાશે.
હવે સરકાર ગ્રાહકોની સુવિધા માટે આગળ આવી છે. ઉપભોક્તા બાબતોનું મંત્રાલય ઉપભોક્તાની ફરિયાદોની નોંધણી અને તેના પર લેવાયેલી કાર્યવાહીને સરળ બનાવવા માટે ઈ-જાગૃતિ પોર્ટલ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે ઈ-દાખિલ પોર્ટલ દેશભરમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે અને હવે ઈ-જાગૃતિ પર કામ કરવામાં આવી રહ્યું છે, જેનાથી કેસ ફાઇલિંગ, ટ્રેકિંગ અને મેનેજમેન્ટમાં સુવિધા વધશે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈ-જાગૃતિ તમામ સંબંધિત પક્ષો વચ્ચે વાતચીતમાં પણ સુધારો કરશે, જે ફરિયાદોના ઝડપી નિરાકરણમાં મદદ કરશે. ઈ-જાગૃતિમાં સમગ્ર પ્રક્રિયાના ઓટોમેશન અને ડિજિટાઈઝેશનને કારણે ફરિયાદોના નિરાકરણમાં ઓછો સમય લાગશે.
મંત્રાલયે કહ્યું કે લદ્દાખમાં ઈ-ફાઈલિંગ પોર્ટલની શરૂઆત સાથે, હવે દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ સમયગાળા દરમિયાન ગ્રાહકોને પડતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગે 7 સપ્ટેમ્બર, 2020 ના રોજ ઈ-ફાઈલિંગ પોર્ટલ શરૂ કર્યું હતું, જેથી તેઓ સરળતાથી તેમની ફરિયાદો નોંધી શકે. 2023 ના અંત સુધીમાં, તે લદ્દાખ સિવાય દેશના બાકીના ભાગોમાં શરૂ થઈ ગયું હતું. હાલમાં લગભગ 2 લાખ 81 હજાર વપરાશકતર્ઓિ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલા છે. આના પર 1 લાખ 98 હજાર 725 કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 38453નો નિકાલ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકુછડી નજીક મીનીબસ હડફેટે ભાઇની નજર સામે બહેનનું નિપજ્યુ કણ મોત
May 09, 2025 02:45 PM‘સમજી જજો આતંકવાદીઓના આકાઓ, નહીં તો આ તમારી સગી નહી થાય’: પૂજ્ય ભાઇશ્રી
May 09, 2025 02:44 PMપૈસાના ચક્કરમાં ફસાયેલા મિત્રની મદદ કરનાર યુવક પોતે જ ફસાઈ જતા ઝેરી પ્રવાહી પીધું
May 09, 2025 02:43 PMઆઠ દિવસમાં રાજીવનગરના રસ્તા સમથળ નહી થાય તો મનપા સામે થશે આંદોલન
May 09, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech