ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ 24 ઓક્ટોબરથી પુણેમાં શરૂ થવાની છે. શુભમન ગિલ આ મેચ માટે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકે છે. ગિલને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર તે સંપૂર્ણ રીતે ફિટ છે. શુભમન ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં રમી શક્યો ન હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ગિલની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાએ સરફરાઝ ખાનને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપી હતી.
ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ મેચ માટે પૂણે પહોંચી ગઈ છે. ટીમના સહાયક કોચ રેયાન ડોશેટે આજે શુભમન ગિલ પર પ્રતિક્રિયા આપી હતી. માહિતી અનુસાર લાગે છે કે ગિલ પુણે ટેસ્ટ માટે ફિટ થશે. અત્યારે તેને ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, શુભમન ગિલ રમશે બીજી ટેસ્ટ, જાણો કોનું પત્તું કપાશે.થોડી સમસ્યા છે. શુબમન ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં રમી શક્યો ન હતો. જો તે પ્લેઈંગ ઈલેવનમાં પાછો ફરે છે તો તે ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે.
જો ગિલ પરત આવશે તો કોનું પત્તું કપાશે?
જો શુભમન ગિલ પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરે છે તો કેએલ રાહુલને બ્રેક આપવામાં આવી શકે છે. રાહુલ છેલ્લી ટેસ્ટ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. પરંતુ સરફરાઝ ખાને જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બીજી ઇનિંગમાં 150 રન બનાવ્યા હતા. સરફરાઝે રિષભ પંત સાથે પણ મોટી ભાગીદારી કરી હતી. પરંતુ રાહુલ ફ્લોપ રહ્યો હતો. તેથી તેઓને બહાર કરી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, જીવ બચાવવા યુવતી 5માં માળેથી કૂદી...જૂઓ લાઈવ વીડિયો
April 29, 2025 10:02 PMઅમદાવાદના આત્રેય ઓર્ચિડમાં આગ, 5માં માળેથી કૂદેલી યુવતીને લોકોએ બચાવી, 27નું રેસ્ક્યૂ
April 29, 2025 09:59 PMPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PM‘પાકિસ્તાન 4 ભાગમાં વહેંચાઈ જશે, POK પર દાવો કરવા માટે આનાથી સારો સમય બીજો કોઈ નથી’
April 29, 2025 05:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech