બજેટ બાદ સોનાના ભાવ ૮૫,૦૦૦થી ૯૦,૦૦૦ રૂપિયા સુધી પહોંચશે: નિષ્ણાતો

  • January 28, 2025 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોનાના ભાવ પરના ટેકસ અંગે બજેટ ૨૦૨૫માં મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. ૧ ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા આ બજેટમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણ સોના પર કસ્ટમ ડુટી વધારી શકે છે. નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં, ખાસ કરીને બજેટ પછી, સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. પ્રતિ ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૮૫,૦૦૦ થી ૯૦,૦૦૦ પિયા સુધી પહોંચી શકે છે. હાલમાં, સોનાના ભાવ પ્રતિ ૧૦ ગ્રામ . ૮૧,૩૦૦ ની આસપાસ રહે છે.
બજારના નિષ્ણાતો કહે છે કે જો ભૂ–રાજકીય તણાવ ચાલુ રહેશે તો સોનાના ભાવ ૮૫,૦૦૦ થી ૯૦,૦૦૦ પિયા પ્રતિ ૧૦ ગ્રામ સુધી પહોંચી જશે. આ પાછળનું કારણ એ છે કે નીચા વ્યાજ દરો અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓને કારણે સોનાની માંગ વધી રહી છે. આ ઉપરાંત, કેન્દ્રીય બેંકો દ્રારા સોનાની સતત ખરીદી પણ તેના ભાવને ટેકો આપી રહી છે.
ગયા વર્ષના બજેટમાં, કસ્ટમ ડુટી ૧૫ ટકાથી ઘટાડીને ૬ ટકા કરવામાં આવી હતી, જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. જો આ વખતે કસ્ટમ ડુટી વધારવામાં આવે તો સોનાની આયાત મોંઘી થશે અને તેના કારણે કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે. બજેટ ૨૦૨૫માં કસ્ટમ ડુટી વધારવાના સરકારના નિર્ણયની સોનાના ભાવ પર ઐંડી અસર પડી શકે છે. જો આવું થાય, તો સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં તીવ્ર વધારો થઈ શકે છે. ગયા વર્ષના બજેટમાં કરવામાં આવેલા કાપને કારણે ગેરકાયદેસર આયાતમાં ઘટાડો થયો હતો અને હવે ફરી એકવાર ડુટીમાં વધારો થવાને કારણે પરિસ્થિતિ બદલાઈ શકે છે.
સોનું ખરીદવા માંગતા ગ્રાહકોને બજેટ પછી ખરીદી કરવાનું વિચારવાની સલાહ આપવામાં આવી રહી છે. જો સરકાર કસ્ટમ ડુટીમાં વધારો કરે છે, તો તેનાથી સોનાના ભાવમાં વધારો થઈ શકે છે. આ સમયે, બજારમાં અસ્થિરતા ચાલુ છે અને રોકાણકારોએ સાવધ રહેવું જોઈએ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application