પૃથ્વીના ઐંડાણમાં સોનું કેવી રીતે બને છે તે અંગે વૈજ્ઞાનિકોમાં અલગ–અલગ મંતવ્યો છે. સામાન્ય માન્યતા એવી છે કે પૃથ્વીની આંતરિક તિરાડોમાંથી વહેતા ગરમ પ્રવાહીમાં રાસાયણિક ફેરફારો થાય છે અને યારે તે ઠંડુ થાય છે ત્યારે સોનું અલગ થઈ જાય છે. ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના તાજેતરના સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે ભૂકંપથી ઉત્પન્ન થતી વીજળીને કારણે ભૂગર્ભમાં સોનાના ટુકડા બને છે.
નેચર જીઓસાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં સૂચવવામાં આવ્યું છે કે કવાર્ટઝ જેવા કેટલાક સ્ફટિકો યાંત્રિક દબાણ પર પીઝોઇલેકિટ્રક (સુષુ ગરમીથી ઉત્પન્ન થતી વીજળી) વોલ્ટેજ પેદા કરી શકે છે. આ અસર સામાન્ય રીતે કવાર્ટઝ ઘડિયાળો અને રસોઈ લાઇટરમાં જોવા મળે છે. સંશોધકોએ એ સમજવાનો પ્રયાસ કર્યેા કે પીઝોઇલેકિટ્રક પ્રયોગો કરીને સોનાના મોટા ટુકડા કેવી રીતે બને છે. પીઝોઇલેકિટ્રક અસર સૌપ્રથમ ૧૮૮૦ માં ફ્રેન્ચ ભૌતિકશાક્રીઓ જેકસ અને પિયર કયુરી દ્રારા શોધવામાં આવી હતી. પીઝોઇલેકટ્રીસીટીમાં, ઘન પદાર્થની યાંત્રિક ઉર્જા વિધુત ઊર્જામાં પાંતરિત થાય છે.
સંશોધકોએ ધરતીકપં દરમિયાન કવાર્ટઝમાં થતી પ્રક્રિયાઓની નકલ કરવાનો પ્રયાસ કર્યેા હતો કે શું ભૂકપં દરમિયાન ઉત્પન્ન થયેલ યાંત્રિક દબાણ કવાર્ટઝમાં પીઝોઇલેકટ્રીસિટી પેદા કરી શકે છે અને શું આ સોનાના ટુકડાઓનું નિર્માણ કરી શકે છે. તેઓએ જોયું કે યારે દબાણ કરવામાં આવે છે, ત્યારે કવાર્ટઝ માત્ર સપાટી પર ઇલેકટ્રોકેમિકલ રીતે સોનું જમા કરતું નથી, પણ સોનાના નેનોપાર્ટિકલ્સનું નિર્માણ અને સંચય પણ કરે છે. સંશોધનના મુખ્ય લેખક ક્રિસ વોઈસી કહે છે કે ભલે જમીનમાં પ્રવાહીમાં રાસાયણિક ફેરફારોને કારણે સોનાની રચનાનો સિદ્ધાંત વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે, તે સોનાના મોટા ટુકડાઓની રચનાને સંપૂર્ણ રીતે સમજાવતું નથી. ખાસ કરીને ધ્યાનમાં લેવું કે આ પ્રવાહીમાં સોનાની સાંદ્રતા અત્યતં ઓછી છે. આ સંશોધન સોનાની રચનામાં ભૂકંપનું મહત્વ સાબિત કરે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech