ગિરનાર પર્વત પર ૫૪ કિમીની ઝડપે પવન ફૂંકાતા રોપ-વે બંધ

  • February 26, 2024 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં  છેલ્લ ા ત્રણ દિવસથી લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે. ગિરનાર પર્વત પર ૫૪ કિમી ઝડપે પવન ફૂંકાતા રોપ-વે સવારથી બંધ રહ્યો છે. શહેર કરતાં નવ ગણી વધુ પવનની ઝડપ નોંધાતા પર્વત પર સુસવાટા મારતા પવન થી પગથિયા ચડી જતા લોકોને પણ પવનની થપાટો નો સામનો કરવો પડ્યો હતો. પર્વત પર સીમલા મનાલી જેવું વાતાવરણ સર્જાયું છે .ઉષા બ્રેકો કંપની દ્વારા  રોપવે બંધ હોવાથી સવારથી જ એડવાન્સ બુકિંગ ની કામગીરી બંધ રાખી હતી. ભેજ ઘટતા સુકા પવનથી વાતાવરણ ઠંડુગાર થયું છે. શહેરીજનો  ગરમ વસ્ત્રોમાં  ઢબુડાયેલા જોવા મળી રહ્યા છે. શહેરમાં પવનની  ઝડપ અને ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે નોંધાયેલા હવામાન મુજબ જૂનાગઢ શહેરમાં  આજે લઘુતમ તાપમાન ૧૭.૧ , ભવનાથ તળેટી ૧૫.૧, ગિરનાર પર્વત ૧૨.૧, વાતાવરણમાં ભેજ  ૪૮ટકા અને ૬.૧ ની ઝડપે પવન ફૂંકાયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application