જામનગરની યુવતીને સાસરીયામાં ત્રાસ

  • July 24, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગરની વતની અને જામનગર પરણાવેલી યુવતીને સાસરીયાઓએ ત્રાસ ગુજાર્યાની ફરિયાદ


જામનગર તા ૨૪, સુરેન્દ્રનગર ની વતની અને હાલ જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં પરણાવેલી એક યુવતીને તેણીના સાસરીયાઓ એ ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુકતાં મહિલા પોલીસ મથકમાં સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.


આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ સુરેન્દ્રનગરની વતની અને હાલ જામનગરમાં ગુલાબનગર સિંધી કોલોની માં રહેતી આરતીબેન મનોજભાઈ વાઘેલા નામની ૩૪ વર્ષની વાલ્મીકિ પરણીતા, કે જેને સાસરિયાઓએ ત્રાસ ગુજારી હાંકી કાઢી હતી.

જેથી તેણીએ જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં આરતી બેને પોતાના પતિ મનોજ લલીતભાઈ વાઘેલા, સાસુ ગૌરીબેન લલિતભાઈ વાઘેલા, નાણંદ મનીષાબેન વિજયભાઈ સરધારા, તેમજ પોતાના પતિના આગલા ઘરના દીકરા વિવેક અને આગલા ઘરની પુત્રી દિપુબેન ઉમેદભાઈ અમે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application