ફાયરે મૃતદેહને બહાર કાઢ્યો
જામનગરમાં કાળવડનાકા બહાર રહેતી ૨૧ વર્ષની એક યુવતીએ આજે સાંજે કોઈ આગમ્ય કારણોસર લાખોટા તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. ફાયર બ્રેગેડે મૃતદેહને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરના કાલાવડ નાકા બહાર રહેતી એક યુવતીએ જામનગરમાં લાખોટા તળાવના પાણીમાં સાંજે ૬.૩૦ વાગ્યાના અરસામાં એકાએક પડતું મૂકી દીધું હતું.
આ વેળાએ લાખોટા તળાવની ફરજ પર હાજર રહેલા એક સિક્યુરિટી ગાર્ડએ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાનો કાફ્લો બનાવના ના સ્થળે પહોંચી ગયો હતો, અને યુવતીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેનો મૃતદેહજ હાથ લાગ્યો હતો. જેને બહાર કાઢીને પોલીસને સુપ્રત કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતી નું નામ નમીરાબેન મુસાભાઇ મકરાણી (ઉંમર વર્ષ ૨૧) અને જામનગરમાં કાલાવડ નાકા બહાર ખોજાનાકા વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે પોલીસ ઉડાણપૂર્વકની તપાસ ચલાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech