ઘોઘા તાલુકાના પીપરલા ગામે આવેલી જમીન ઉપર ત્રણ શખસે ગેરકાયદે કબજો જમાવતા જમીન માલીકે આધાર પુરાવા દેખાડયા છતા કબજો ન છોડતા કલેકટરમાં ઘા નાખવામાં આવી હતી. જેના પગલે ભાવનગર નિવાસી અધિક કલેકટરના હુકમ બાદ ગુનો નોંધાવા પામ્યો હતો.
શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલા ઓશીયન પાર્કમાં રહેતા ખીમજીભાઈ પ્રેમજીભાઈ ડોડાએ ઘોઘા પોલીસ મથકમાં દાના બીજલભાઈ બારૈયા, મુના મથુરભાઈ બારૈયા, જીવરાજ નાગજીભાઈ બારૈયા સામે ફરીયાદ નોંધાવી હતી કે, પીપરલા ગામે ૧૫
વિધા જમીન વેંચાણથી રાખી હતી જે જમીન ઉપર ઉક્ત તમામે ગેરકાયદેસર રીતે કબજો કરી લેતા તેઓને આધાર પુરાવા દેખાડી જમીન ખાલી કરી દેવા અવાર નવાર કહેવા છતા જમીન પરનો કબજો છોડયો ન હતો.
આથી ભાવનગર કલેકટરમાં લેન્ડ ગ્રેબીંગ અંગે ફરીયાદ કરી હતી. જેના પગલે નિવાસી અધિક કલેકટરે જમીન ખાલી કરી આપવા અને જમીન ખાલી ન કરે તો ગુનો દાખલ કરવા હુકમ કરતા ફરીયાદ અનુસંધાને પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મનીષ ડાંગરિયા સામે સોશિયલ મીડિયામાં ભારત પાક યુદ્ધ પર પોસ્ટ કરતા નોંધાઈ ફરિયાદ
May 09, 2025 05:38 PMજામનગર: ભારત પાકિસ્તાન વચ્ચે તળાવને લઈને દરિયાકાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
May 09, 2025 05:30 PMભરતનગરમાં વરસાદનું વિઘ્ન હટતા મસ્જિદનું દબાણ દૂર કરવા કાર્યવાહી
May 09, 2025 04:59 PMભાવનગર ડાયમન્ડ એસો. ના પ્રમુખ સામે ગુનો દાખલ થતા હિરાના વેપારીઓએ વિરોધદર્શક બંધ પાળ્યો
May 09, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech