પાલમાં વર્ષેાની પરંપરા મુજબ આસો સુદ નોમના દિવસે ૧૧ ઓકટોબરના રોજ વરદાયીની માતાજીની પલ્લ ી ભરાશે. રાત્રે ૧૨ વાગ્યે માતાજીની પલ્લ ી પરંપરાગત રીતે નીકળશે. આ વર્ષે પલ્લ ી ૫૨ ૨૦ કરોડ પિયાથી વધુની કિંમતના ઘીનો અભિષેક થવાનો સંસ્થાનો અંદાજ છે.
પાલ વરદાયિની માતાના મંદિર ટ્રસ્ટ દ્રારા પરંપરાગત પલ્લ ીને લઈ તૈયારીઓ શ કરી દેવામાં આવી છે.
પ્રથમ નોરતે મંદિર ખાતે ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી. પાલમાં વરદાયિની માતાજીના મંદિરેથી પાંડવોએ પલ્લ ીની પ્રથા શ કરી હતી. ત્યારથી પરંપરાગત રીતે દર વર્ષે નવરાત્રિમાં નોમની રાત્રે પલ્લી નીકળે છે. જેમાં હજારો કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે અને લાખોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. પાલ ગામમાં પલ્લ ી નીકળે ત્યારે શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. માતાની પલ્લ ી એટલે માનો રથ, જેની ઉપર પાંચ પાંડવા પ્રતીક સમી યોત ઝળહળતી હોય છે.
દ્રાપરયુગમાં પાંડવોએ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ સોનાની પલ્લ ી બનાવી તેના પર પાંચ કુંડાની સ્થાપના કરી હતી. પાંડવોના સમયથી થયેલી વરદાયની માતાની પરંપરા આજે પણ પાલ ગામમાં જીવતં છે. પ્રતિવર્ષ નવમા નોરતે માતાની પલ્લ ી ભરાય છે. વરદાયિની માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ નીતિન પટેલે જણાવ્યું હતુંકે, દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ માટે આરોગ્ય, વાહન પાકિગ અને ભોજનની ક૨વામાં આવશે. તબીબી ટીમો પણ તૈનાત રહેશે.
પલ્લ ીમાં તમામ સભ્યોની મહત્વની ભૂમિકા હોય છે. વણકર ભાઈઓ પલ્લ ી માટે ખીજડો કાપે છે. સુથાર ભાઈઓ પલ્લ ી ઘડે છે. વાંળદ ભાઈઓ વરખડાના સોટા બાંધે છે. કુંભાર ભાઈઓ કૂંડા તૈયાર કરે છે. માળી ભાઈઓ ફુલથી શણગાર કરે છે. મુસ્લિમ ભાઈઓ પીંજારા ભાઈઓ કૂંડામાં કપાસ પૂરે છે. પંચોળી ભાઈઓ માતાજીના નિવેદ માટે સવા મણ ખીચડો બનાવે છે. ક્ષત્રિય ચાવડા ભાઈઓ ખુલ્લ ી તલવાર સાથે પલ્લ ીની રક્ષા કરે છે. ત્રિવેદી ભાઈઓ પલ્લ ીની પૂજા કરે છે. પાટીદાર ભાઈઓ પલ્લ ીની પૂજા આરતી કરીને પલ્લ ીના કૂંડામાં અિ પ્રગટાવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech