અદાણી ગ્રીન એનર્જીએ એક નિવેદન જારી કરીને કંપનીના ડિરેકટર્સ ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેકિટસ એકટ (એફસીપીએ) હેઠળ આરોપ મૂકયા હોવાના અહેવાલોને ખોટા ગણાવ્યા છે. કંપનીએ કહ્યું, આવા નિવેદનો સંપૂર્ણપણે ખોટા છે. અદાણી ગ્રીન એનજીર્ના જણાવ્યા મુજબ, ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ડીઓજે આરોપ અથવા યુએસ એસઈસી સિવિલ ફરિયાદમાં નિર્ધારિત બાબતોમાં એફસીપીએના કોઈપણ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી. અદાણી ગ્રીન એનર્જીએ બુધવાર, ૨૭ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ સ્ટોક સાથે ફાઈલ કરાયેલ રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ માહિતી આપી છે.
અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસમાં ડિપાર્ટમેન્ટ આફ જસ્ટિસના ફોરેન કરપ્શન પ્રેકિટસ એકટના આરોપ મુજબ કોઈ લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો નથી. માત્ર અઝુર અને સીડીપીકયુના અધિકારીઓ પર લાંચ લેવાનો આરોપ છે. અદાણી ગ્રીન એનર્જી અનુસાર, અદાણી ગ્રુપના અધિકારીઓ પર લાંચ અને ભ્રષ્ટ્રાચારનો આરોપ લગાવતા સમાચાર સંપૂર્ણપણે ખોટા છે.
તેના ફાઇલિંગમાં, અદાણી ગ્રીન એનર્જીએ અદાણી જૂથના અધિકારીઓ સામે લાંચ અને ભ્રષ્ટ્રાચારના આરોપો પર વિવિધ મીડિયા હાઉસ દ્રારા કરવામાં આવેલા રિપોટિગને ખોટું ગણાવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, મીડિયા લેખો જણાવે છે કે અમારા કેટલાક ડિરેકટર્સ ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેકિટસ એકટ (એફસીપીએ)નું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ સંપૂર્ણપણે ખોટું છે. અદાણી ગ્રીન એનજીર્ના જણાવ્યા મુજબ, ગૌતમ અદાણી સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ડીઓજે આરોપ અથવા યુએસ એસઈસી સિવિલ ફરિયાદમાં નિર્ધારિત બાબતોમાં એફસીપીએના કોઈપણ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech