ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ બની ગયો છે પરંતુ તેનો સપોર્ટ સ્ટાફ હજુ નક્કી થયો નથી. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચને સપોર્ટ સ્ટાફમાં જોડવા અંગે હજુ પણ દુવિધા છે. જો કે હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે ગંભીર દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કેલને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવા માંગે છે. કોચિંગની બાબતમાં મોર્કેલ ઘણો અનુભવી છે.
ગંભીરે બીસીસીઆઈને મોર્કેલ પર વિચાર કરવા વિનંતી કરી છે. ગંભીર ઈચ્છે છે કે મોર્કેલ ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ બને. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોર્કેલ સાથે વાતચીત થઈ છે.
ગંભીર અને મોર્કેલે લખનૌ સુપરજાયન્ટ્સમાં સાથે ઘણો સમય વિતાવ્યો છે. ગંભીર 2 વર્ષથી લખનઉનો મેન્ટર છે, જ્યારે મોર્કેલ હજુ પણ બોલિંગ કોચ છે.
મોર્કેલ પાકિસ્તાનના બોલિંગ કોચ રહી ચૂક્યા છે. મોર્કેલ 2023માં ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનના બોલિંગ કોચની ભૂમિકામાં જોવા મળ્યો હતો. ટૂર્નામેન્ટ બાદ મોર્કેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
મોર્કેલ ઉપરાંત ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન, લક્ષ્મીપતિ બાલાજી અને વિનય કુમાર વિશે વાત ચાલી રહી છે. BCCI બોલિંગ કોચ માટે આ ત્રણ પર પણ નજર રાખી રહ્યું છે. BCCI દ્વારા આખરી નિર્ણય લેવાનો બાકી છે.
મોર્કેલની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
ઉલ્લેખનીય છે કે મોર્ને મોર્કેલ 2006 થી 2018 વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે 86 ટેસ્ટ, 117 ODI અને 44 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટમાં તેણે 27.66ની એવરેજથી 309 વિકેટ લીધી હતી, જેમાં મેચમાં 9/110ની સર્વશ્રેષ્ઠ વિકેટો હતી. આ સિવાય તેણે ODIમાં 25.32ની એવરેજથી 188 વિકેટ અને T20 ઈન્ટરનેશનલમાં 25.34ની એવરેજથી 47 વિકેટ લીધી છે. ODIમાં તેનો રેકોર્ડ 5/21 અને T20 આંતરરાષ્ટ્રીયમાં 4/17 હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech