જામનગર હિન્દુ સેના દ્વારા ગણેશ સ્થાપના

  • September 09, 2024 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર હિન્દુ સેના દ્વારા 12 દિગ્વિજય પ્લોટ, અંબિકા ડેરીની સામે વિશાલ કોમ્પ્લેક્સ, હિન્દુ સેના કાર્યાલય નીચે પાંચ દિવસીય શ્રી ગણેશજીની સ્થાપના કરી ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી હતી. અખંડ ભારત અને સનાતન હિન્દુ રાષ્ટ્ર માટે બલિદાન આપનારા રાષ્ટ્રવીરો તેમજ સનાતન હિન્દુ રાષ્ટ્રના વિરોધી રાષ્ટ્રદ્રોહિની ઝાંખી કરાવતા બેનરો પણ લગાવેલ હતા. આ સ્થાપના દરમિયાન પૂજારી ચિરાગ ભટ્ટ મહારાજ દ્વારા પૂજન કરાવેલ હતું, જેમાં હિન્દુ સેનાના શહેર પ્રમુખ દીપક પીલાઈ, શહેરમંત્રી મયુર ચંદન, પૂર્ણકાલીન કિશન નંદા, મંથન અઘેરા, નિલેશ વડગામા, કુશાંત વાઘેલા, કાનો રબારી, હેપ્પી પ્રજાપતિ, ધીરેન નંદા  સહિતના સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. તેવું હિન્દુ સેના જામનગર શહેરમંત્રી મયુર ચંદનની યાદીમાં જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application