કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશ ચતુર્થીનો પર્વ ગણેશોત્સવ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. આ સમય એવો હોય છે યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ગણેશ ૧૦ દિવસ માટે ધરતી પર પોતાના ભકતોની સાથે રહે છે. ગણેશજી ભકતોના દુ:ખ દુર કરી તેમને સુખ–સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.ગણેશ ઉત્સવની રાહ ભાવિકો ભકતો આખું વર્ષ જોતા હોય છે. ગણેશ ચતુર્થીની ઉજવણી દેશભરમાં ધામધૂમથી થાય છે. જોકે દેશભરમાં મહારાષ્ટ્ર્રનો ગણેશ ઉત્સવ સૌથી પ્રખ્યાત હોય છે. ૧૦ દિવસ માટે ગણપતિજી પોતાના ભકતોની વચ્ચે રહે છે. ભાદરવા મહિનાના શુકલ પક્ષની ચતુર્થીથી ચૌદશની તિથિ સુધી ગણેશોત્સવ ચાલે છે. ગણેશોત્સવ ભાદરવા માસની ગણેશ ચતુર્થી તારીખ ૭૯૨૦૨૪ થી શ થઈ તારીખ ૧૬ ૯૨૦૨૪ આનદં ચૌદશ દશ દિવસ સુધી ચાલશે. કેશોદ શહેરમાં ગણપતિ દાદાની આકર્ષક અને કલાત્મક મૂર્તિઓ બનાવનારા કારીગરો આખરી ઓપ આપી રહ્યાં છે અને કેશોદ શહેર તાલુકામાં જુદાં જુદાં વિસ્તારમાં રિધ્ધિ સિધ્ધિ ના દાતા ગજાનન ગણપતિ દાદાની સ્થાપના કરી દશ દિવસ સુધી પુજા અર્ચના કરી વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો નુ આયોજન કરવા આયોજક યુવક મંડળ વિવિધ ગૃપ દ્રારા પુરજોશમાં તૈયારીઓ શ કરવામાં આવી રહી છે.
કેશોદ શહેર તાલુકામાં જુદાં જુદાં વિસ્તારમાં ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે છે સાથે સાથે શ્રધ્ધાળુ પરિવારો પોતાના ઘરમાં પણ મૂર્તિ ની સ્થાપના કરી પુજા અર્ચના કરે છે. કેશોદ શહેર આવનારા દિવસોમાં ગણેશમય બની જશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech