આજે આંખોમાં આંસુ સાથે ભારે હૈયે ગણપતિ બાપાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આજે અનતં ચતુર્દશી એટલે ગણેશ ઉત્સવનો અંતિમ દિવસ. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર્રમાં છેલ્લા દસ દિવસથી ગણપતિ મહોત્સવની ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવી હતી દરરોજ સવાર સાંજ બાપ્પાંની આરતી અને પૂજન, મહાપ્રસાદ, ૫૬ ભોગ અન્નકૂટ સહિતના આયોજનો સાથે સામાજિક અને સેવાકીય કાર્યક્રમનો પણ ત્રિવેણી સંગમ રચાયો હતો.આજે ગણપતિ બાપાને અગલે બરસ તું જલ્દી આનાની ભાવભરી વિનંતી સાથે ભાવિકોએ ગણપતિ વિસર્જન કયુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગણપતિ વિસર્જન પાછળ પણ એક પૌરાણિક કથા છે. વેદ વ્યાસજી ગણેશજી પાસે મહાભારત લખાવી રહ્યા હતા. સતત દસ દિવસ લખવાથી ગણેશજીનું શરીર ગરમ થઈ ગયું હતું. આથી ગણેશજીને ઠારવા માટે વ્યાસજીએ પાણીમાં ડુબાડેલા હતા. આ કથા મુજબ જે દિવસથી ગણેશજીએ મહાભારત લખવાની શ કરી તે ભાદરવા મહિનાની શુકલપક્ષની ચતુર્થીનો દિવસ હતો અને જે દિવસે મહાભારત પૂર્ણ થઈ તે અનતં ચતુર્દશીનો દિવસ હતો ત્યાંથી ગણેશજીને દસ દિવસ સુધી બેસાડવામાં આવે છે અને ૧૧મા દિવસે ગણેશ ઉત્સવ પછી અનતં ચતુર્દશીએ ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે.આજે શુભ ચોઘડીએ યાં યાં ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યાં ભાવિકો દ્રારા ગણપતિદાદાની વિસર્જન યાત્રા નીકળી હતી. ઢોલ નગારા નાદ અને અબીલ ગુલાલની છોળો સાથે ગણપતિ બાપા અપને ગાંવ ચલે... અગલે બરસ તું જલ્દી આના..ની પ્રાર્થના સાથે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.કાલે ૧૮ સપ્ટેમ્બરથી પિતૃતર્પણનો અવસર શ્રાદ્ધ પર્વનો પ્રારભં થઈ રહ્યો છે. ૧૬ દિવસ સુધી શ્રાદ્ધ મનાવવામાં આવે છે. આ વર્ષે બે શ્રાદ્ધ ઘટે છે. પિતૃ તર્પણ બાદ ૩ ઓકટોબરથી માં જગદંબાની ભકિત અને શકિતનું પર્વ નવલા નોરતાનો દિવ્ય પ્રારભં થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech