જામનગરમાં નવાગામ વિસ્તારમાં રહેતા એક યુવાન સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવ્યા પછી પરત જતી વેળાએ બાઈક અન્ય વ્યક્તિને ઘેર પહોંચાડવા માટે સોપ્યું હતું, પરંતુ વાહન ઘરે પહોંચાડવાના બદલે પોતાની સાથે લઈને રફુચક્કર થઈ ગયો હોવાથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરમાં નવાગામ ઘેડ માસ્તર સોસાયટીમાં રહેતા દીપકભાઈ સુખલાલભાઈ અજા નામના ૪૮ વર્ષના યુવાન તા ૧૩-૮-૨૪ના દિવસે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ત્યાંથી પાટાપિંડી સહિતની સારવાર કરાવ્યા પછી ઘેર જવા માટે પરત નીકળતાં વરસાદ ચાલુ થયો હતો. જેથી વરસાદના કારણે પાટો પલળે નહીં તે માટે પોતાનું બાઈકની ચાવી સૌપ્રથમ પોતાના મિત્ર કિશોરસિંહ ગોહિલને સોંપી હતી, અને બાઇક ઘરે પહોચાડવા માટે કહયુ હતું, કિશોરસિંહે તે બાઇકની ચાવી જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં રહેતા જય જગદીશભાઈ સિંધી નામના શખ્સને સોંપી હતી.
જેણે બાઈક ઇજાગ્રસ્ત યુવાનને ઘેર પહોંચાડવાના બદલે બારોબાર લઈને છું મંતર થઈ ગયો હતો. જેની આટલા દિવસ સુધી રાહ જોયા પછી પણ બાઈક લઈને પરત નહીં આવતાં અને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતાં આખરે ગઈકાલે દિપકભાઈ સુખલાલભાઈએ સીટી બી. ડિવિઝન પોલીસમાં પોતાનું બાઈક લઈને ગુમ થઈ જવા અંગે જય ઉર્ફે સાંઇ જગદીશભાઈ સિંધી (રહે નાગેશ્ર્વર સોસાયટી)ની સામે ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMધારીના આશ્રમમાં માથાભારે શખ્સોનો આતંક, સાધુ સંતોને ધમકાવ્યા
September 28, 2024 07:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech