રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પબ્લિક ટ્રાન્સપોર્ટના સંચાલન માટે નિર્મિત સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ રાજકોટ રાજપથ લિમિટેડની સિટી બસ સેવા અને બીઆરટીએસ સેવામાં સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગો અને થેલેસેમિકોને એપ્રિલ માસથી મફત મુસાફરીની યોજનાની કાર્યવાહી શ થશે. ટૂંક સમયમાં મળનારી આરઆરએલની બોર્ડ મિટિંગમાં આ અંગે નિર્ણય થશે. મ્યુનિ.સિવિક સેન્ટરમાં અરજી કરવાથી વાર્ષિક પાસ અપાશે. હાલ ચૂંટણી આચારસંહિતાને કારણે અમલ ચૂંટણી પછીથી શ થશે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી તા.૧ એપ્રિલથી સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગો તેમજ થેલેસેમિયાના દર્દીઓએ આ યોજનાનો લાભ લેવા માટે મ્યુનિ. સીટી સિવિક સેન્ટરમાં જરી આધાર પુરાવો સાથે અરજી કરવાની રહેશે જેના પરથી એક વર્ષ માટેનો પાસ લાભાર્થીઓને આપવામાં આવશે અને પાસધારક સીટી બસ અને બીઆરટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે. અલબત્ત હાલમાં લોકસભા ચૂંટણી આચારસંહિતા અમલી હોય આ યોજનાનો અમલ ચુંટણી બાદ જ થશે. ટૂંક સમયમાં મળનારી આર.આર.એલની બોર્ડ બેઠકમાં આ અંગેના નિયમો તૈયાર કરવા સાથે નિર્ણય થશે. મહાપાલિકાના બજેટમાં સમાવિષ્ટ્ર કરાયેલી આ યોજના અમલી કરવા જરી કાર્યવાહી હવે શ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech