સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગો, થેલેસેમિકોને એપ્રિલ માસથી સિટી બસમાં મફત મુસાફરી

  • March 29, 2024 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પબ્લિક ટ્રાન્સપોર્ટના સંચાલન માટે નિર્મિત સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ રાજકોટ રાજપથ લિમિટેડની સિટી બસ સેવા અને બીઆરટીએસ સેવામાં સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગો અને થેલેસેમિકોને એપ્રિલ માસથી મફત મુસાફરીની યોજનાની કાર્યવાહી શ થશે. ટૂંક સમયમાં મળનારી આરઆરએલની બોર્ડ મિટિંગમાં આ અંગે નિર્ણય થશે. મ્યુનિ.સિવિક સેન્ટરમાં અરજી કરવાથી વાર્ષિક પાસ અપાશે. હાલ ચૂંટણી આચારસંહિતાને કારણે અમલ ચૂંટણી પછીથી શ થશે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી તા.૧ એપ્રિલથી સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગો તેમજ થેલેસેમિયાના દર્દીઓએ આ યોજનાનો લાભ લેવા માટે મ્યુનિ. સીટી સિવિક સેન્ટરમાં જરી આધાર પુરાવો સાથે અરજી કરવાની રહેશે જેના પરથી એક વર્ષ માટેનો પાસ લાભાર્થીઓને આપવામાં આવશે અને પાસધારક સીટી બસ અને બીઆરટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે. અલબત્ત હાલમાં લોકસભા ચૂંટણી આચારસંહિતા અમલી હોય આ યોજનાનો અમલ ચુંટણી બાદ જ થશે. ટૂંક સમયમાં મળનારી આર.આર.એલની બોર્ડ બેઠકમાં આ અંગેના નિયમો તૈયાર કરવા સાથે નિર્ણય થશે. મહાપાલિકાના બજેટમાં સમાવિષ્ટ્ર કરાયેલી આ યોજના અમલી કરવા જરી કાર્યવાહી હવે શ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application