વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિતે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ

  • April 20, 2024 09:59 AM 

વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય સેવા ટ્રસ્ટ તથા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન દ્વારા ડૉ.ભીમરાવ આંબેડકરજી ની જન્મજયંતિ ના અવસરે  જામનગર ના જુદા જુદા ૯ વિસ્તારો માં નિઃશુલ્ક મેડીકલ કેમ્પ ના આયોજન કરવામાં આવ્યા હતા જેના દ્વારા બાબાસાહેબ ના સ્વપ્ન ના સમરસ સમાજ, ઉન્નત રાષ્ટ્ર ના સંકલ્પ સાથે ભાવાંજલિ અર્પણ કરાઇ હતી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ જામનગર વિભાગના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરીયા, માતૃશક્તિ પ્રાંત સહ સયોજીકાh હીનાબેન અગ્રાવત,જામનગર મહાનગર ઉપાઘ્યક્ષ સુબ્રમણ્યમ ભાઈ પિલ્લે, વિજયભાઈ બાબરીયા, પ્રફુલ્લાબેન અગ્રાવત, ગ્રામ્ય અધયક્ષ રમેશભાઈ તરપરા, જિલ્લા મંત્રી હેમંતસિંહ જાડેજા, સુરેશભાઈ ગોંડલીયા, વિષેશ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી અને મહેન્દ્રસિંહ સોઢા, સંજયભાઈ બાબરીયા, અમિતભાઈ હરવારા, દ્રૂમિલ રાવ લંબાટે, હિમાંશુભાઈ ગોસ્વામી, ભીમશીભાઈ ગોજીયા, નિલેશભાઈ મુંગરા, દૂર્ગાવાહિની પ્રાંત કાર્યકારીણી કૃપાબેન લાલ, માતૃશક્તિ નગર સહ સાયોજિકા ટિકુબેન અજા, ભાવનાબેન ગઢવી, વર્ષાબેન નંદા, ભાવનાબેન મણિયાર, મીનાબેન સહિતના લોકો હાજર રહ્યા હતા અને સમગ્ર જામનગરવાસીઓને પોતાના વિસ્તારમાં નિ:શુલ્ક મેડિકલ સેવાનો લાભ આપ્યો હતો. આ તકે નેશનલ મેડીકોઝની મેડિકલ ટીમનો પૂરો સાથ સહકાર રહ્યો હતો, જેમાં અંદાજે ૭૫૮ લોકોએ લાભ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application