મોદીના ૩.૦ મંત્રીમંડળમાં ગુજરાતના ચાર કપાયા, ત્રણ નવાને તક

  • June 10, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એકલા હાથે સરકારે રચી શકે તેટલી જરી બે તૃતીયાંશ બહુમતી ભાજપને મળી ન હોવાથી નવા મંત્રીમંડળમાં ગુજરાતના કવોટામાં કાપ મુકાશે તેવી અગાઉ વ્યકત કરાયેલી દહેશત સાચી પડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૩.૦ મંત્રીમંડળમાં ગુજરાતના કવોટામાં કાપ મુકાયો છે. અગાઉ નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં રહી ચૂકેલા ચાર મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે અને તેના સ્થાને ત્રણ નવા ચહેરાને તક આપવામાં આવી છે. આમ ટોટલ ગુજરાતના એક મંત્રી ઓછા થયા છે. ગુજરાતમાંથી અમિત શાહ, એસ. જયશંકર, મનસુખભાઈ માંડવીયા, જે.પી.નડા, સી.આર.પાટીલ અને નિમુબેન બાંભણિયાને કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયા છે.

નરેન્દ્ર મોદીના અગાઉના મંત્રીમંડળમાં પુષોત્તમ પાલા, મહેન્દ્ર મુંજપરા, દર્શનાબેન જરદોશ અને દેવુસિંહ ચૌહાણ મિનિસ્ટર હતા. પરંતુ ૩.૦ મંત્રીમંડળમાં તેમની બાદબાકી થઈ છે. તેમના સ્થાને રાજયસભામાં ગુજરાતમાંથી ચૂંટાયેલા જે. પી. નડ્ડા, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ અને ભાવનગરની બેઠક પરથી ચૂંટાયેલા નિમુબેન બાંભણિયાને તક મળી છે. પાટીલ સમગ્ર ગુજરાતની ૨૬ બેઠકમાં સૌથી વધુ લીડ સાથે ચૂંટાયેલા નેતા છે.

નવા મંત્રીમંડળમાં દર્શનાબેન જરદોશ, મહેન્દ્ર મુંજપરા અને દેવુસિંહ ચૌહાણની બાદબાકી નિશ્ચિત હતી. જો ભાજપને કિલયર અથવા તો થમ્પીંગ મેજોરીટી મળી હોત તો પણ આ ત્રણ મંત્રીઓ નવા મંત્રીમંડળમાં ન હતા. કારણ કે તેમને ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી ન હતી. ભાવનગરની બેઠક પર કોળી સમાજના મહિલા આગેવાન અને ભાજપના રાષ્ટ્ર્રીય સંગઠનમાં ઉપપ્રમુખ જેવી મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા ભારતીબેન શિયાળને પણ આ વખતે ટિકિટ આપવામાં ન આવી હતી અને તેના સ્થાને ભાવનગરના પૂર્વ મેયર નિમુબેન બાભણીયા પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડતા હતા. વિજેતા થતાની સાથે જ તેને લાલ લાઈટ વાળી ગાડી આપીને ગુજરાતમાં પાટીદાર પછી બીજા નંબરે ભારે પ્રભુત્વ ધરાવતા કોળી સમાજના સમીકરણોમાં ભાજપે માસ્ટર સ્ટ્રોક માર્યેા છે.

મનસુખભાઈ માંડવીયા અને પુષોત્તમ પાલા મોદીના મંત્રીમંડળમાં હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે કોરોના સમયમાં કરેલી સારી કામગીરીના કારણે મનસુખભાઈ માંડવીયાનું રીપીટ થવાનું નિશ્ચિત માનવામાં આવતું હતું. મનસુખભાઈ માંડવીયા પણ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી ૨૦૨૪ માં લડા હતા અને પોરબંદરની બેઠક પરથી વિજેતા થયા છે. આવી જ રીતે પુષોત્તમ પાલા રાજકોટમાંથી પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડા હતા અને વિજેતા થયા છે. પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજા રજવાડાઓ બાબતે તેમણે કરેલી ટિપ્પણી વિવાદાસ્પદ બની હતી અને સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજ દ્રારા તેનો વિરોધ કરાયો હતો. કદાચ આ વખતે પાલાને મંત્રીમંડળમાં ન લેવા બાબતે આ મુદ્દો મહત્વનો બની ગયો હશે તેવી વાતો થાય છે.કેન્દ્રીય મંત્રીમંડળમાં આ વખતે ગુજરાતમાંથી અમિતભાઈ શાહ, મનસુખભાઈ માંડવીયા, એસ. જયશંકર, જે. પી. નડ્ડા સી. આર. પાટીલ અને નીમુબેન બાંભણિયાની પસંદગી થઈ છે. યારે પાલા, મુંજપરા, જરદોશ અને ચૌહાણની બાદબાકી થઈ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application