પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા વધુ ચાર મિલ્કતો સીલ મારી દેવામાં આવી છે.
કમિશ્નર તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નર(પી)ની સુચના અનુસાર હાઉસટેકસ વિભાગ દ્વારા નવાકુંભારવાડો તથા ભાટીયા બજાર, વાઘેશ્ર્વરી પ્લોટ જેવા અનેક વિસ્તારની અલગ- અલગ એકવીસ બિન રહેણાંક મિલ્કતોમાં વસુલાત ઝુંબેશની કામગીરી કરવામાં આવતા સત્તર આસામીઓ દ્વારા ા. ૧,૬૪,૬૬૦ સ્થળ ઉપર ભરપાઇ કરી આપેલ અને એ પૈકીની બાકી રહેતી ચાર મિલ્કતોના ા. ૩,૮૧,૭૭૯ ભરવામાં નહી આવતા તે મિલ્કત સીલ કરવામાં આવેલ છે.
રજાના દિવસોમાં પણ વેરા વસુલાત શાખા રહેશે ચાલુ
પોરબંદર મહાનગરપાલિકાના કમિશ્નરની યાદી જણાવે છે કે પોરબદર મહાનગરપાલિકાના કરવેરાઓ સમયસર ભરપાઇ કરવામાં આવેલ નથી. જે તમામ બાકી મિલ્કત ઘારકોએ મહાનગરપાલિકાના કરવેરાઓ તાત્કાલિક ભરપાઇ કરવા જાણ કરવામાં આવે છે. કરદાતાની સુવિધા ખાતર જાહેર તહેવારો તથા રજાના દિવસો દરમ્યાન કરવેરા ભરવા વસુલાત ખાતા ગ્રાઉન્ડ ફલોરમાં ૧૦:૩૦થી ૨ ચાલુ રહેશેે. તેથી સમયસર વેરા ભરપાઇ કરવા અપીલ થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech