શહેરના પુજારા પ્લોટમાં ગાત્રાળ ચોક નજીક સ્નેહ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી શૈલેષભાઇ ગોવીંદભાઈ પાલા(ઉ.વ ૩૮) એ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નીશીત,કુણાલ સાગર, રોહીત વાઢેર તથા દિવ્યેશ ધધડાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું એસ્ટ્રોન ચોક પાસે આવેલ હીંગળાજ જ્વેલર્સ નામની દુકાને સોના-ચાંદી તથા ઈમીટેશનનુ કામ કરી ગુજરાન ચલાવુ છુ. ગઈ તા. ૧૨/૦૫/૨૦૨૫ ના રાત્રીના આશરે સાડા અગિયાર વાગ્યે હું મારા ઘરે હાજર હતો. તે દરમિયાન નીશીતનો મને ફોન આવેલ કે, રૈયાધાર ખાતે આવો અને ત્યા કુણાલભાઇ આવે છે. જેથી હું મારૂ મોટરસાયકલ લઈને રૈયાધાર જવા નીકળેલ હતો. હુ રસ્તામાં હતો દરમિયાન નીશીતભાઇનો મને ફરીવાર ફોન આવેલ કે હવે તમે નાણાવટી ચોક ખાતે આવો તેમ જણાવેલ જેથી હું નાણાવટી ચોક ખાતે પહોંચેલ હતો. જ્યાં નીશીત તથા કુણાલ બન્ને હાજર હતા.
નીશીત તથા કુણાલ બંને મારી પાસે પૈસા માગતા હોય કુણાલએ મને કહેલ કે તું મારા પૈસા આપી દે કહી ગાળો આપી હતી. બાદમાં કૃણાલે મને ફડાકો ઝીંકી દીધો હતો. ત્યારબાદ હું મોટરસાયકલ લઈને ઘરે જવા નીકળી ગયો હતો. બાદમાં રાત્રીના એકાદ વાગ્યે કુણાલ તેનું એક્ટિવા લઈને એક અજાણ્યા શખસ સાથે મારા ઘર પાસે ધસી આવ્યો હતો અને ફરીવાર મને ગાળો આપેલ હતી. જયારે અજાણ્યા શખસે મને ગાળો આપી લાફા માર્યા હતા. દરમિયાન એક કાર ધસી આવી હતી જેમાંથી એક અજાણ્યો શખ્સ ઉતર્યો હતો અને તેણે મને બેફામ ગાળો આપી તું મને ઓળખતો નથી કહી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. દરમિયાન પત્નીએ પોલીસને ફોન કરતા તમામ શખસો નાસી ગયા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, એકાદ વર્ષ પહેલા મેં કુણાલ પાસેથી આશરે ૧૬૫ ગ્રામ સોનુ લીધેલ હતુ જે સોનાની કીંમત જે-તે વખતે દસ લાખ રૂપીયા જેટલી થતી હતી. તે પૈસા મારી પાસે માગતા હોય, જે પૈસા હાલ મારી પાસે ના હોઈ અને મેં અગાઉ તેઓને આશરે ત્રણેક લાખ રૂપીયા આપી દિધેલ હોય બાકીના પૈસાની ઉઘરાણીમાં તમામ શખ્સોંએ ફડાકા ઝીંકી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech