દ્વારકાના ધારાગઢ ગામે એક જ પરીવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી કર્યો આપઘાત

  • July 10, 2024 10:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જિલ્લાના ભાણવડના ધારાગઢ નજીક સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરીવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે.


સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો દ્વારકાના ધારાગઢ ગામે જામનગરના એક જ પરિવારના 4 સભ્યોએ રેલવે ફાટક પાસે જઇ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત કર્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે. જેઓના મૃતદેહ નાના એવા ધારાગઢ ગામ પાસેથી મળી આવતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળ પર જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ભાણવડ પંથકમાં સામુહિક આપઘાત કરનારના પરીવારની વાત કરીએ તો મૂળ લાલપુરના મોડપરના વતની અને હાલ જામનગરના માધવબાગ ખાતે રહેતા અશોક જેઠાભાઈ ધુંવા ઉ.વ.42, લીલુબેન અશોકભાઈ ધુંવા ઉ.વ.42, જીગ્નેશભાઈ અશોકભાઈ ધુંવા ઉ.વ.20 અને કિંજલબેન અશોકભાઈ ધુંવા ઉ.વ.18 હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application