આગામી તારીખ ૨૬ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ ગુજરાત સહિત દેશભરના ૫૫૧ સ્ટેશનોના પુન:વિકાસ અને ૧૫૦૦ રોડ ઓવરબ્રિજઅંડરપાસના શિલાન્યાસઉદઘાટન કરવા માટે . ૪૦,૦૦૦ કરોડનો પ્રોજેકટ દેશને વિડીયો કોન્ફરન્સિંગ ના માધ્યમથી સમર્પિત કરનાર છે. તેમાં રાજકોટ રેલવે ડિવિઝનના ૧૨ સ્ટેશનોના પુન:વિકાસનો શિલાન્યાસ, ૧૧ રોડ ઓવરબ્રિજઅંડરપાસનું શિલાન્યાસ અને ૯ રોડ અંડરપાસનું ઉદઘાટન પણ થનાર છે.
રાજકોટ ડિવિઝનના ૧૨ સ્ટેશનનો . ૧૮૧.૪૨ કરોડના ખર્ચે પુન:વિકાસ કરવામાં આવશે, તેમાં રાજકોટ, જામનગર, મોરબી, વાંકાનેર, ભાટિયા, ખંભાળિયા, દ્રારકા, હાપા, પડધરી, કાનાલુસ, થાન અને ઓખા સ્ટેશનનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટેશનોના પુન:વિકાસનો સમાવેશ છે.
આ સાથે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ ડિવિઝનમાં ખંઢેરી, ખંભાળિયા, ઓખામઢી, પીપળી, હાપા, જામવંથલી, સિંધાવદર, વાણીરોડ, મોડપુર, ચણોલ, હડમતિયા, લીલાપુર, જગડવા અને લાખામાંચી રેલવે સ્ટેશનો ખાતે ૧૧ રોડ ઓવરબ્રિજઅંડરપાસનું શિલાન્યાસ અને ૯ રોડ અંડરપાસનું વડાપ્રધાનના હસ્તે ઉધ્ઘાટન કરવામાં આવશે.આમ આવનારા થોડા સમયમાં મુસાફરોને સ્ટેશનો પર અત્યાધુનિક સુવિધાઓનો લાભ મળશે, તો બીજી તરફ રોડ ઓવરબ્રિજઅંડરપાસના નિર્માણથી લોકોને રેલવે ટ્રેક ક્રોસ કરવામાં સગવડ મળશે.
રેલવે સ્ટેશન આધુનિક સુવિધાસભર, વિશ્ર્વ કક્ષાના બનાવાશે
રેલ તત્રં દ્રારા રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ અને સુવિધાઓમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે, ભારત સરકારે મોડુલર કોન્સેપ્ટ પર વિશ્વ કક્ષાના રેલવે સ્ટેશનના નિર્માણનો પ્રોજેકટ શ કરાયો છે, જે અંતર્ગત તેને એક ભવ્ય અને વિશ્વ કક્ષાના સ્ટેશન તરીકે પુન:વિકાસ કરવામાં આવશે. –ધ–આર્ટ સુવિધાઓ, સ્ટેશનમાં વલ્ર્ડ કલાસ બિલ્ડિંગ, બુકિંગ અને પાર્સલ ઓફિસ, લિટ, એસ્કેલેટર, કોન્સર્સ, એસી વેઇટિંગ મ, અનુકૂળ પાકિગ, આધુનિક કોચ માર્ગદર્શન ડિસ્પ્લે બોર્ડ, એનાઉન્સમેંટ સિસ્ટમ, વાઇ–ફાઇ, આધુનિક સિસ્ટમ, પૂરતી લાઇટિંગ વગેરે જેવી સુવિધાઓ હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech