જામનગરથી પંજાબ પહોંચીને ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરતા પૂર્વમંત્રી હકુભા જાડેજા

  • May 23, 2024 05:39 PM 

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણી 2024 માં પંજાબની આનંદપુર સાહેબ બેઠકના ઉમેદવાર સુભાષ શમર્નિા પ્રચાર અર્થે લોકસભા બેઠકના પ્રભારી ગુજરાત સરકારના પૂર્વ  કેબિનેટમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પનગર  વિધાનસભા પડ  ચૂંટણી ઇન્ચાર્જ  તરીકે જામનગરના પૂર્વ ધારાસભ્ય  મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા  પ્રચાર અર્થે પહોંચ્યા હતા જ્યાં તેઓ પનગર જિલ્લા અધ્યક્ષ અજયવીરસિંઘ લાલપુરાના નેતૃત્વમાં,પંજાબ પ્રદેશ ભાજપ કોર કમિટીના સભ્ય  નરેન્દ્રસિંઘ રાણા સહિત સ્થાનિક આગેવાનોને સાથે રાખી ગ્રૂપ મીટીંગો,લોકસંપર્ક, સભાઓ ગજાવી હતી. અને  દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને  વિજય બનાવવા પંજાબવાસીઓને અપીલ કરી હતી. તેંમજ મતદારો સુધી કેમ પહોંચવું અને વધુમાં વધુ મતદાન થાય તે માટે વ્યુહરચના ઘડી કાઢી હતી.  સુભાષ શમર્નિે જીત માટે વિજય મંત્ર આપ્યો હતો. આ પ્રચાર અર્થે ગયેલા પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનું પંજાબવાસીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું આ પ્રચારમાં તેમની સાથે ભાજપના કાર્યકર ચિરાગ પંડ્યા પણ સાથે જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application