PGVCLના પૂર્વ એમડી અને બનાસકાંઠા કલેક્ટર વરૂણકુમાર બરનવાલની કેન્દ્રીય કોમર્સ મંત્રી પિયુષ ગોયલના ઓએસડી તરીકે નિમણૂંક

  • August 10, 2024 11:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

PGVCLના પૂર્વ એમડી અને બનાસકાંઠા કલેક્ટર વરૂણકુમાર બરનવાલની કેન્દ્રીય કોમર્સ મંત્રી પિયુષ ગોયલના ઓએસડી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.




વિગતવાર વાત કરીએ તો બનાસકાંઠા કલેક્ટર વરુણ બરનવાલ ડેપ્યુટેશન પર દિલ્હી જશે. થોડા સમય અગાઉ PGVCLના MD તરીકે ફરજ બજાવતા હતા ત્યાર બાદ બનાસકાંઠા કલેક્ટર તરીકે બદલી થઈ હતી. જો કે હવે તેઓ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના ઓ.એસ.ડી તરીકે ડેપ્યુટેશન પર દિલ્હી જશે.


તેઓ 2014ની બેચના IAS અધિકારી વરૂણકુમાર બરનવાલ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઇસરના વતની છે. MIT કોલેજ પૂણેથી એન્જીનિયરીંગનો અભ્યાસ તેમણે કર્યો છે. બનાસકાંઠા કલેક્ટર વરૂણ બરનવાલે આ અગાઉ ગુજરાતના વિવિધ જિલ્લાોઓમાં સેવાઓ આપી છે. તેમણે મદદનીશ કલેક્ટર ઝઘડીયા, જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ રાજકોટ અને PGVCL ના મેનેજીંગ ડિરેક્ટર તરીકે પ્રશસંનીય સેવાઓ આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application