શાસના અધિકારી સહિત 4 અધિકારી કમીટીમાં: સાત દિવસમાં રિપોર્ટ આપવાનો રહેશે
જામનગરમાં દરેડ બીઆરસી ભવનમાં સમયસર ચોપડા વિતરણ ન થવાથી પુસ્તકો પલળી જતા ભારે નુકશાન થયુ હતું. આ અંગેના અહેવાલો બહાર આવતા આખરે સરકારે શાસનાધિકારી સહિત 4 અધિકારીની કમીટી બનાવી છે અને આ કમીટીને સાત દિવસમાં રિપોર્ટ આપવા જણાવાયુ છે.
આ અંગેની વિગત એવી છે કે સરકારી શાળાઓમાં 1 થી 8ના વિદ્યાર્થીઓને વિનામુલ્યે પાઠયપુસ્તકો આપવા ગાંધીનગરની વડી કચેરીએથી 8000 જેટલા પુસ્તકો આવ્યા હતા. જેને દરેડના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. સાતમ આઠમમાં ભારે વરસાદનાં કારણે બીઆરસી ભવનમાં ગોઠણડુબ પાણી ભરાયા હતાં. જેના કારણે ધો. 1 થી 3નાં પુસ્તકો સહિત 8000 પુસ્તકો પલળી ગયા હતા. ફરજ પરના અધિકારી દ્વારા સમયસર પુસ્તકો ન અપાતા પુસ્તકો પલળી જવાથી ખર્ચ માથે પડયો હતો અને આ અંગે ભારે ઉહાપોહ થયા બાદ આખરે સરકાર દ્વારા કમીટીની રચના કરવામાં આવી છે અને હવે રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે નુકશાની અંગે કડક પગલા લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદીની મુલાકાત બાદ બાંગ્લાદેશનું વલણ બદલાયુ, હવે હિન્દુઓની સુરક્ષા માટે સેના ઉતારવામાં આવી
April 06, 2025 10:36 AMઅયોધ્યામાં રામલલ્લાની જન્મજયંતિના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
April 06, 2025 10:24 AMપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMઆજે રામ નવમીના દિવસે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે, નફો વધશે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે
April 06, 2025 08:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech