કોલકાતા રેપ કેસમાં ફોરેન્સિક નિષ્ણાતનો દાવો.. ઈજાના નિશાન જોતાં કોઈ એક વ્યકિતનું કામ નહીં હો

  • August 24, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આરજી કાર મેડિકલ કોલેજમાં જુનિયર ડોકટર પર બળાત્કાર અને હત્યાને ૧૩ દિવસ વીતી ગયા છે. પરંતુ એવા ઘણા પ્રશ્નો છે, જેના જવાબ આજ સુધી મળ્યા નથી. ખાસ વાતચીતમાં ફોરેન્સિક નિષ્ણાત ડો.અરિન્દમ ચક્રવર્તીએ પણ કબૂલ્યું હતું કે પીડિતાના શરીર પર ઈજાના આટલા નિશાન છે તો એ વાત ચોક્કસ છે કે હત્પમલાખોર એક જ ન હતો. ડો. અરિંદમ, જેમણે ત્રણ હજારથી વધુ પોસ્ટમોર્ટમ કરાવ્યા છે, તે કહે છે કે આશ્ચર્યની વાત છે કે તે રાત્રે યુવતીનો અવાજ કોઈએ સાંભળ્યો ન હતો, તેમ છતાં તેણે આરોપીઓ સામે જોરદાર લડત આપી હશે. આ બાબતો પરથી લાગે છે કે આ ઘટનામાં અન્ય લોકો પણ સામેલ હોય શકે છે.
આ ઘટનાની માહિતી મળતાં જ અધિકારીઓએ તાત્કાલિક સ્થળને કોર્ડન કરવાનું હોય છે જેથી પુરાવા સાથે ચેડાં ન થાય. ત્યારપછી પોલીસ અને ફોરેન્સિક ટીમ સિવાય કોઈને જવા દેવા જોઈએ નહીં. પરંતુ માહિતી એવી આવી રહી છે કે આ ઘટનામાં અહીં આવું બન્યું નથી.
અરિન્દમે કહ્યું, હજુ લાંબી પ્રક્રિયા છે. તેથી, ત્યાંથી મળેલા નમૂનાઓ સાથે મેળ ખાતા હોવા જોઈએ. જો વધુ વિલબં કરીશું, તો પુરાવાનો નાશ થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે, તપાસ વહેલી તકે પૂરી થવી જોઈએ. સીબીઆઈ તપાસમાં હજુ સુધી અન્ય કોઈની ધરપકડ કરવામાં આવી નથી. અમને ખબર નથી કે પકડાયેલ વ્યકિત મેચિંગ હતી કે નહીં. તેમણે કહ્યું કે, સીબીઆઈ તપાસ કરી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application