અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે કહ્યું કે યારે પત્ની તેના પતિ સાથે રહેવાનો ઇનકાર કરે છે. જો પતિને અલગ મમાં રહેવાની ફરજ પાડવામાં આવે છે, તો તે તેને વૈવાહિક અધિકારોથી વંચિત કરે છે. આ ઉપરાંત, તે પતિ પ્રત્યે ક્રૂરતા સમાન છે. હાઈકોર્ટની લખનૌ બેંચના જસ્ટિસ રંજન રોય અને જસ્ટિસ સુભાષ વિધાર્થીની ડિવિઝન બેન્ચે એક વ્યકિતને છૂટાછેડા આપતાં આ ટિપ્પણી કરી હતી. પતિએ અરજી દાખલ કરીને પત્ની પર અલગ મમાં રહેવા દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે એમ પણ કહ્યું કે જો તેની પત્નીએ તેના મમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યેા તો તેને આત્મહત્યા કરવાની અને ફોજદારી કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પતિની અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે તે સ્પષ્ટ્ર છે કે યારે પત્નીએ અલગ મમાં રહેવાનો આગ્રહ કર્યેા ત્યારે તેણે વૈવાહિક સંબધં છોડી દીધો છે. કોર્ટે કહ્યું કે પત્ની હજુ પણ ઘરમાં રહે છે કે બહાર તે બાબત મહત્વની નથી. કારણ કે પતિએ સ્પષ્ટ્ર કહ્યું હતું કે તે તેને તેના મમાં પ્રવેશવા દેતી નથી.
કોર્ટે કહ્યું કે પતિ–પત્ની વચ્ચે શારીરિક સંબધં પણ વૈવાહિક સંબંધનો આવશ્યક ભાગ છે. જો પત્ની તેના પતિને અલગ મમાં રહેવા દબાણ કરીને તેની સાથે રહેવાનો ઇનકાર કરે છે, તો તે પતિને તેના વૈવાહિક અધિકારોથી વંચિત કરી રહી છે. તેનાથી તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડશે. આ શારીરિક અને માનસિક બંને ક્રૂરતા સમાન છે. પતિના આ આરોપોને પત્નીએ પણ નકાર્યા નથી. આવી સ્થિતિમાં તે સ્વીકારવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે.
અરજી અનુસાર, બંનેએ ૨૦૧૬માં લ કર્યા હતા. આ મહિલાના પ્રથમ લ હતા અને પુષના બીજા લ હતા. ૨૦૧૮માં પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધવિરામ બાદ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે શું હવે કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે કે નહી?
May 11, 2025 11:03 AMજાણો પાકિસ્તાને સિઝફાયર તોડ્યા પછી દેશના જુદા જુદા રાજ્યોમાં શું સ્થિતિ હતી
May 11, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech