બારા જમુનેશપ્રભુજીની બેઠકમાં પણ ફૂલડોલ ઉત્સવ ધામધૂમપૂર્વક મનાવાયો
સલાયામાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં ધુળેટીના પવિત્ર દિવસે ધામધૂમ પૂર્વક ફૂલડોલ ઉત્સવનું આયોજન કરાયું હતું. જેમાં સલાયાની શ્રી દ્વારકાધીશજિની હવેલીમાં તેમજ શ્રી રામ મંદિરમાં બપોરે ફુલડોલ ઉત્સવ યોજાયો હતો. જેમાં ઠાકોરજીને સંગે વૈષ્ણવોએ પણ ભાતભાતના કલરોથી રંગોત્સવ મનાવ્યો હતો. મુખ્યાજી વામનભાઈ તેમજ રામમંદિરના મુખ્યાજી પ્રવિણભાઇએ ઠાકોરજીને શ્વેત રંગના વસ્ત્રોના શણગાર કરી અલૌકિક દર્શનનો લાભ લેવડાવ્યો હતો.
સલાયા પાસે આવેલ બારા ગામે જમુનેશ મહાપ્રભુજીની બેઠક આવેલી છે. જેમાં અદાશ્રી કિશોર અદા દ્વારા ઠાકોરજીને વિવિધ શણગાર કરવામાં આવ્યા હતાં. તેમજ ભજન કિર્તન સાથે ધામધૂમ પૂર્વક ફૂલડોલ ઉત્સવ યોજાયો હતો. બાદમાં સર્વે વૈષ્ણવોં દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ સલાયા તેમજ આજુબાજુના ધાર્મિક સ્થાનોમાં ભાવભેર ફૂલડોલ ઉત્સવ ઉજવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર ટાઉનહોલ ખાતે કોન્ટેમ્પરરી આર્ટીસ્ટ કેમ્પ તથા ચિત્ર પ્રદર્શનીનું આયોજન...
March 20, 2025 07:07 PMજામનગરમાં રૂ.7 કરોડના ખર્ચે રિનોવેશન થયેલ ટાઉનહોલની આર્ટ ગેલરીમાં ટપકતું પાણી
March 20, 2025 06:58 PMપાલીતાણાં TRB જવાને નાના ભાઈની છાતી પર બેસી ગળું દબાવી પતાવી દીધો, જાણો હત્યા પાછળનું કારણ
March 20, 2025 06:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech