ઓડિશામાં કોલકાતા જતી બસ પુલ પરથી પડી જતા પાંચના મોત

  • April 16, 2024 07:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓડિશાના જાજપુર જિલ્લામાં બસ અકસ્માત થયો હતો. પશ્ચિમ બંગાળના કોલકાતા જતી બસ ઓડિશાના જાજપુર જિલ્લામાં ફ્લાયઓવર પરથી પડી ગઈ હતી. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ અકસ્માતમાં એક મહિલા સહિત ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને લગભગ 40 લોકો ઘાયલ થયા છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નેશનલ હાઈવે-16 પર બારાબતી બ્રિજ પર આ અકસ્માત થયો હતો. 50 મુસાફરો સાથેની બસ પુરીથી કોલકાતા જઈ રહી હતી. આ દરમિયાન જાજપુર જિલ્લામાં ફ્લાયઓવર પડી અને અકસ્માત સર્જાયો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ધર્મશાલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર તપ્ન કુમાર નાઈકે જણાવ્યું કે, દુર્ઘટનામાં ચાર પુરુષ અને એક મહિલાના મોત થયા છે. લગભગ 40 લોકો ઘાયલ છે અને તેમાંથી 30ને કટક એસસીબી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. અકસ્માત કયા કારણોસર થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.મુખ્યમંત્રી નવીન પટનાયકે આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનો માટે 3 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી હતી. ઘાયલો વિશે હાલ કોઈ જાહેરાત કરવામાં આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application