જમ્મુ-કાશ્મીરના ડોડા વિસ્તારમાં કાશ્મીર ટાઈગર્સ સાથેની અથડામણમાં એક અધિકારી સહિત ચાર જવાનો શહીદ થયા છે. છેલ્લા 35 દિવસમાં ડોડા વિસ્તારમાં આ પાંચમું એન્કાઉન્ટર છે. અધિકારીઓએ જણાવ્યું કે, રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ્ના જવાનોએ ગઈકાલે મોડી સાંજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ એન્કાઉન્ટર ડોડા શહેરથી લગભગ 55 કિમી દૂર દેસા જંગલ વિસ્તારના ધારી ગોટે ખરારબાગીમાં થયું હતું.
ગઈકાલે સાંજે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત પાંચ જવાનોના આજે વહેલી સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે. અધિકારીઓ જણાવ્યું હતું કે આ અથડામણ ત્યારે થઈ જ્યારે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ના જવાનોએ મોડી રાત્રે ડોડા શહેરથી લગભગ 55 કિલોમીટર દૂર દેસા જંગલ વિસ્તારમાં ધારી ગોટે ઉરારબાગીના જંગલમાં હુમલો કર્યો.
અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબાર બાદ આતંકવાદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક અધિકારીની આગેવાની હેઠળના બહાદુર સૈનિકોએ પડકારરૂપ ભૂપ્રદેશ અને ગીચ વૃક્ષો હોવા છતાં તેમનો પીછો કર્યો, ત્યારબાદ રાત્રે લગભગ 9 વાગ્યે જંગલમાં બીજી વખત ગોળીબાર થયો. અધિકારીઓએ જણાવ્યું કે આ અથડામણમાં પાંચ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી એક અધિકારી સહિત ચારના આજે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.
ડોડામાં એન્કાઉન્ટર વિસ્તારમાં વધારાના સૈનિકો મોકલવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ડોડા હુમલાની જવાબદારી આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે લીધી છે. આ સંગઠન જૈશ-એ-મોહમ્મદનું એક જૂથ છે જેણે તાજેતરમાં કઠુઆમાં સેનાના કાફલા પર હુમલાની જવાબદારી લીધી હતી. છેલ્લા કેટલાક અઠવાડિયાથી જમ્મુ ક્ષેત્રમાં ઘણા સ્થળોએ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે. 14 જુલાઈના રોજ, ભારતીય સેનાએ કુપવાડા જિલ્લામાં એલઓસી બોર્ડર પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા ત્રણ આતંકવાદીઓને ઠાર કયર્િ હતા.
ડોડામાં 34 દિવસમાં પાંચમો આતંકવાદી હુમલો
જમ્મુ ડિવિઝનના ડોડામાં એક મહિનામાં આતંકવાદીઓ દ્વારા હુમલો થયાની આ પાંચમી ઘટના છે. આ પહેલા 9 જુલાઈના રોજ પણ એન્કાઉન્ટર થયું હતું. ગયા મહિને 26 જૂને આતંકવાદી હુમલો થયો હતો અને 11-12 જૂને બે હુમલા થયા હતા. આ તમામ હુમલા બાદ આતંકીઓ અને જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. ગયા મહિને, 11 જૂનના રોજ, આતંકવાદીઓએ ડોડામાં ભદરવાહ-પઠાણકોટ રોડ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 5 આર્મી જવાનો અને એક વિશેષ પોલીસ અધિકારી ઘાયલ થયા હતા. આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે આ હુમલાની પણ જવાબદારી લીધી હતી. 12 જૂનની રાત્રે ડોડાના કોટા ટોપમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ્ના કોન્સ્ટેબલ ફરીદ અહેમદ ઘાયલ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech