સલાયા બંદર ઉપર લંગારાઈ ફિશીંગ બોટો

  • June 03, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિશીંગ માટે દરિયામાં જવાનું 1 ઓગસ્ટ થી ચાલુ થશે

સરકાર દ્વારા દર વર્ષે એક જૂનથી ફિશીંગ માટે દરિયામાં જવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે છે જે પ્રતિબંધ 1 ઓગસ્ટ નાં રોજ ખૂલે છે. આ બે મહિના માટે દરિયામાં જવા ઉપર પ્રતિબંધ હોઈ છે. જે અનુસંધાને સલાયા બંદરે પણ ફિશીંગ બોટો મોટી સંખ્યામાં લંગારવા માં આવી છે. આ બે મહિના ના સમય દરમ્યાન વરસાદી વાતાવરણ હોઈ દરિયામાં જવું જોખમી હોઈ છે અને આં સમય માછલીઓ માટે પ્રજ્જનન નો સમય હોઈ છે જેથી સરકાર દ્વારા આં પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ સીઝન દરમ્યાન સલાયામાં ફિશરમેનો પોતાની બોટ રિપેર કરે છે અને આવનારી નવી સીઝન માટે તૈયાર કરે છે. આમ આજથી બંદર ઉપર બોટોના ઢગલા ખડકાઈ જસે.આં બે માસના સમયમાં સલાયામાં વસતા ફિશરમેન પોતાના પરિવારના સામાજિક કાર્યો જેવાકે લગ્ન, સગાઈ વગેરે કરે છે.

તેમજ મકાનમાં રીપેરીંગ કામો પણ મોટી સંખ્યામાં થાય છે. જોકે બે માસના સમય માટે ફિશીંગ બંધ હોઈ નાના ફિશરમેન ભાઈઓને થોડી આર્થિક તકલીફો પણ રહે છે. પાછી ગઈ સીઝન ફિશીંગ માટે થોડી નબળી રહી હોઈ ફિશર મેન ભાઈઓ ચિતિંત છે. સલાયામાં આં સમયને આખરનો સમય કહેવામાં આવે છે. આ સમયમાં અનાજના વ્યાપારી મિત્રોને પણ ધંધા થોડા મંદ પડે છે. સામે મંડપ,કટલરી,કપડાં,બુટ ચપ્પલ વગેરે જેવી દુકાનોમાં ભીડ જોવા મળે છે. હાલ તો બંદર ઉપર બોટો લાંગરવાનું કામ ચાલુ થઈ ગયેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application