૨૬મી ડિસેમ્બરે પોરબંદરના બંદર વિસ્તાર સહિતના માછીમારી વિસ્તારો જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલ યુકત પાણીના પ્રોજેકટને રદ કરાવવાની માંગ સાથે બંધ પાળશે.પોરબંદર સમસ્ત ખારવાજ્ઞાતિના પ્રમુખ(વાણોટ) પવનભાઇ જીવાભાઇ શિયાળ તથા ઉપપ્રમુખ તેમજ પંચપટેલ ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે કે આથી પોરબંદર ખારવા સમાજ દ્વારા જાણ કરવામાં આવે છે કે આગામી તા.૨૬-૧૨-૨૦૨૪ ગુવારના રોજ ગુજરાત રાજ્યના દરિયા કિનારાના માછીમાર ગામો અડધો દિવસ પોતાના કામધંધા બંધ રાખી જેતપુર સાડી ઉદ્યોગના ગંદા પાણીને દરિયામાં ઠાલવવાનો વિરોધ નોંધાવશે તેના સમર્થનના ભાગપે પોરબંદર બંદર વિસ્તારના માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકો દ્વારા અડધો દિવસ પોતાના કામધંધા બંધ રાખી આ વિરોધનું સમર્થન કરશે.
તેમજ આવનારા દિવસોમાં આ પ્રશ્ર્ન બાબતે સરકાર સામે ઉગ્ર લડત તેમજ પોરબંદર બંધ રાખવા માટે ગામની તમામ જ્ઞાતિ તેમજ સંસ્થાઓને સાથે રાખી હવે પછી જાહેર કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech