બિહારમાં કાર પાકિગ કરવા મુદ્દે વિવાદમાં ફાયરિંગ, એકની હત્યા

  • January 16, 2024 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહારના ઔરંગાબાદમાં પાકિગને લઈને થયેલા વિવાદમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ, કારમાં સવાર ૪ લોકોએ દુકાનની બહાર કાર પાર્ક કરવાને લઈને દુકાનદાર સાથે ઝઘડો કર્યેા હતો. આ દરમિયાન કારમાં સવાર એક વ્યકિતએ ગોળીબાર કર્યેા, જે એક ગ્રામીણને વાગ્યો અને તે ગંભીર રીતે ઘાયલ થયો અને બાદમાં હોસ્પિટલમાં લઈ જતી વખતે તેનું મોત નીપયું.તો બીજી તરફ આક્રોશિત ટોળાએ કાર સવારોને માર મારતા ૩ના મોત થયા હતા અને એકને ગંભીર ઇજા પહોચી હતી.

આ ઘટના જપલા–નબીનગર રોડ પર ઔરંગાબાદના નબીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેટિ્રયાન ટર્ન પાસે બની હતી. ગોળીઓને કારણે મૃત્યુ પામેલા વ્યકિતની ઓળખ રામશરણ ચૌહાણ (૬૦) તરીકે થઈ છે, જે નબીનગર પોલીસ સ્ટેશનના મહત્પઆરી ગામના રહેવાસી છે. કાર સવારો પડોશી રાય ઝારખંડના રહેવાસી હતા. જેમની ઓળખ મોહમ્મદ મુજાહિદ, ચરણ મન્સૂરી અને મોહમ્મદ અન્સારી તરીકે થઈ છે.પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે.

ઔરંગાબાદના ડીએસપી મોહમ્મદ અમાનુલ્લા ખાનના જણાવ્યા અનુસાર, આ ઘટના નબીનગર વિસ્તારમાં બની હતી યાં એક દુકાનદારે તેની દુકાનની સામે કાર પાર્ક કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો.ડીએસપીએ કહ્યું કે આ પછી કારમાં બેઠેલા એક વ્યકિતએ કથિત રીતે પિસ્તોલ કાઢી અને ગોળીબાર કર્યેા, જેમાં એક વૃદ્ધ રાહદારીનું મોત થયું. તેણે કહ્યું કે આનાથી સ્થાનિક લોકો ગુસ્સે થયા અને તેઓએ કારમાં બેઠેલા લોકોને માર માર્યેા, જેના કારણે ત્રણ લોકોના મોત થયા યારે બે ઘાયલ થયા. ઘટનામાં બે અલગ–અલગ સમુદાયના સભ્યો સામેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application