રામેશ્વરનગરમાં મકાનના રસોડામાં આગ: ૮૦ હજારનું નુકસાન

  • June 10, 2024 11:49 AM 

જામનગરનાં રામેશ્વર નગર વિસ્તાર મા એક મકાન મા આજે અકસ્માતે આગ લાગી હતી જેને ફાયર બ્રિગેડ  દ્વારા કાબુ મા લેવાં માં આવી હતી આગ મા કારણે ઘર વખરી ને ભારે નુકશાન થયું હતું.


જામનગરના રામેશ્વર નગર, માટેલ ચોક, ક્રિષ્ના પાર્ક શેરી નંબર -૩ મ રહેતા  આશિષભાઈ અરવિંદભાઈ વૈધ નાં રહેણાક મકાન ના રસોડામાં આજે સવારે અકસ્માતે આગ લાગી હતી. આ બનાવો અંગે ની જાણ કરવામાં આવતા જ  ફાયર બ્રિગેડ નો સ્ટાફ દોડી આવ્યો હતો. અને પાણી નો મારો ચલાવી ને આગ ને કાબુ માં લીધી હતી. આજના આ બનાવમાં રસોડાનું ફર્નિચર ફ્રીજ આરો પ્લાન્ટ સહિતની ઘરવખરીને અંદાજે ૮૦ હજાર ની કિંમત  નું નુકસાન થયું હોવાનું મકાન માલિક દ્વારા જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application