દિલ્હીના પિતમપુરાની બહત્પમાળી ઈમારતમાં આગ, ૫ જીવતા ભુંજાયા

  • January 19, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીના પિતમપુરા વિસ્તારમાં એક બહત્પમાળી બિલ્ડીંગમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. મળતી માહિતી મુજબ આગની આ ઘટનામાં ૫ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમ દોડી ગયી હતી અને આગ પર કાબુ કરવા કોશિશ કરી હતી.જો કે આગ કયાં કારણસર લાગી તે હજુ જાણી શકાયું નથી.}

ઉત્તર પશ્ચિમ દિલ્હીના પિતમપુરા વિસ્તારમાં ગુવારે સાંજે એક ઘરમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા ૫ લોકો બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. ફાયર અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે એક વ્યકિત હજુ ગુમ છે. અધિકારીઓએ જણાવ્યું કે પીતમપુરાથી રાત્રે ૮ વાગ્યે આગની માહિતી મળી હતી અને આઠ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું કે આગની ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે અને એક વ્યકિત લાપતા છે. અધિકારીએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.વધુ તપ સ્થાનિક પોલીસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application