ફાયરે સ્થાનિક નાગરિકોની મદદથી આગને કાબુમા લીધી: જોકે તે પહેલાં તમામ ઘરવખરી બળીને ખાખ થઈ
જામનગરમાં પટણી વાડ વિસ્તારમાં એક બંધ રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. ગઈકાલે રાત્રે ૧૦.૨૦ વાગ્યાના આરસામાં સલીમભાઈ કુરેશી નામના રહેવાસી ના બંધ મકાનમાં આગ લાગી હતી.
જે બનાવ અંગે ફાયર વિભાગ ને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી ગઈ રાત્રે ઘટના સ્થળે પહોંચી હતી. જે બનાવ સમયે આસપાસના નાગરિકોએ એકત્ર થઈને રૂમની બારીમાંથી પાણીની નળી વગેરેથી પાણી નો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો.
ત્યારબાદ ફાયર બ્રિગેડની ટુકડી એ પણ દરવાજો તોડીને સ્થાનિકોની મદદથી આગ ને કાબુમાં લઈ લીધી હતી. જેથી આગ વધુ પ્રસરતાં અટકી હતી. મકાન માલિક સલીમભાઈ કુરેશી બહારગામ ગયા હતા, દરમિયાન પાછળથી વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે અને તેના રૂમમાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ હતી. રાત્રિના સમયે આ બનાવને લઈને આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા, પરંતુ આગ કાબુમાં આવી ગઈ હોવાથી સર્વેએઝ હાશકારો અનુભવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech