ખંભાળિયા: શિરેશ્વર લોકમેળામાં પાર્કિંગ કરાયેલી કારમાં આગ ભભૂકી

  • September 09, 2024 10:55 AM 

ફાયર સ્ટાફ દ્વારા આગ પર કાબુ મેળવાયો



ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં શુક્રવારથી શરૂ થયેલા શિરેશ્વર લોકમેળામાં શનિવારે સાંજના સમયે પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરાયેલી જી.જે. 01 કે.એસ. 9484 નંબરની એક મોટરકારમાં એકાએક આગ લાગી હતી.


શોર્ટ સર્કિટ થવાના કારણે ભભૂકી ઉઠેલી આ આગ અંગે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ચીફ ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમારની સૂચનાથી ફાયર સ્ટાફ વિવિધ ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો અવિરત રીતે મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ વધુ પ્રસરતી અટકતા અને કોઈ મોટી જાનહાની ન થતા ઉપસ્થિતોએ રાહતનો દમ ખેંચ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application